SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ તે દુર્થોનમાં તેની બન્ને આંખ મીંચાઈ ગઈ. તેના મન પર આ વિચારની એટલી બધી અસર થઈ ગઈ કે તેની સર્વ ઇદ્રિના વ્યાપારે જાણે થોડે વખત તદ્દન બંધ થઈ ગયા અને લાકડા જેવો ચેતના વગરને તે થઈ ગયો અને તે જરા પણ હાલતા ચાલતે પણ બંધ થઇ ગયો. પેલી તદ્યા તેની પાસે ઊભી ઊભી વારંવાર “આ ભેજન લે, આ ભેજન લે’ એમ કહેતી કહેતી થાકી ગઈ, પણ નિપુણ્યક દ્રમક તો તેના તરફ જરા ધ્યાન પણ આપતો નથી અને પોતાની પાસે રહેલું તુચ્છ - જન આખી દુનિયામાં કઇ જગોએ થવું નથી-મળવું નથી એવા વિચારમાં ગુંચવાઈ ગયેલો તે દરિદ્રી તયાએ આણેલા અમૃતભેજનની કિમત પણ સમજતો નથી. આ તદ્દન અસંભવિત બનાવ બનતે જોઇને ધર્મબેધકાર મંત્રીશ્વર પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે “આ ત્રણ ઔષધોની રકને આવું પ્રત્યક્ષ સુંદર ભોજન આપીએ છીએ વિચારણું. તોપણ તે લેતો નથી અને કાંઈ ઉત્તર પણ આપતે નથી તેનું કારણ શું હશે? ઉલટું તેનું મોટું ઝાંખું પડી ગયું છે, તેની આંખ મીંચાઈ ગઈ છે અને મેહથી જાણે તેનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય નહિ તેમ લાકડાની ખીલી જે તે ચેષ્ટા વગરને થઈ ગયો છે! એટલા ઉપરથી આ પાપાત્મા આવા સુંદર ભેજનને લાયક હોય એમ લાગતું નથી. અથવા બીજી રીતે જોઈએ તે તેમાં એ બાપડાનો કાંઈ પણ દોષ નથી. એ બાપડ શરીરની અંદરના અને બહારના એટલા બધા વ્યાધિઓથી ચેતરફ ઘેરાઈ ગયેલે છે અને તેની પીડાથી એટલે બધે મુંઝાઈ ગયો છે કે તે કાંઈ પણ જાણી શકતો નથી, સમજી શકતા નથી, વિચારી શકતો નથી. જે એમ ન હોય તે તે પિતાના અત્યંત હલકા તુછ ભજન પર એટલી બધી પ્રીતિ શામાટે કરે? અને જે તેનામાં જરા પણ સમજણ હોત તો આવું અમૃતભોજન શા માટે ગ્રહણ ન કરે? ત્યારે હવે એ બાપડે નીરોગી કેવી રીતે થાય તેને માટે મારે કોઈ ઉપાય કરવું જોઈએ. અરે હા! બરાબર છે, તેને નીરેગી કરવા માટે મારી પાસે ત્રણ સુંદર "ઔષધે છે ૧ આ અંજન, જળ અને ક્ષીર ત્રણે બરાબર સમજવા યોગ્ય ઔષધો . એના પર વિવેચન દાર્શનિક યોજનામાં થશે. એના પર અનેક જગાએ વિવેચન આવે છે, તેથી તે બરાબર ધ્યાનમાં રાખવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy