SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ મેં મારા મનમાં વિચાર કર્યો કે- આ સારથિ ઘણે પકો (તાલીમબાજ) જણાય છે. એ મારા મનનો ભાવ બરાબર સમજી ગયો છે. એણે મારી વહાલીને ઘણુ વખત સુધી બરાબર જોઇ છે તેથી તે તો ખરે ભાગ્યશાળી ગણાય તેમ છે. વળી તેણે હમણું જ મને જણાવ્યું કે મારા દુઃખનું ઔષધ પણ એને મળી ગયું છે તેથી મારા કામવિકારના તાવને દૂર કરનાર પિલી કન્યાને તે જરૂર મારે માટે મેળવી આપશે એમાં મને સંદેહ લાગતો નથી. ખરેખર એણે આજે મારે જીવ બચાવ્યો છે આ પ્રમાણે વિચાર કરીને મેં (નંદિવર્ધને ) તેને મારા પલંગ પર જોરથી બેસાર્યો. ત્યાર પછી મેં તેને નીચે પ્રમાણે કહ્યું. નંદિવર્ધન– “વારૂ તેતલિ! તે મારા રેગનું કારણ તો ભલું શોધી કાઢ્યું ! હવે તેનું ઔષધ શું કરવાનું ધાર્યું છે તે કહે.” સારથિ–“ જ્યારે કોઈની નજર લાગી હોય ત્યારે તેના આ ઉપાય છે. એક તે વૃદ્ધ શિયાર ડોશીઓને લાવી તેમની પાસે મીઠું ઉતરાવવું, મંત્રમાં કુશળ માણસો પાસે અપસારથિને આ- માર્જન કરાવવું, રાખની રક્ષા કરવી, કાંટાને શરીરડે જવાબ. પર બાંધવા, અને બીજા આનંદ ઉજાણુના પ્રસંગો હાથ ધરવા. વળી તેમાં એવી વાત પણ કહેવાય છે કે ગમે તેવી સખ્ત ડાકણું વળગી હોય પણ જે તેને બરાબર ગાળ ગલોચથી ધમકાવી કાઢી હોય તો તેનું જોર એકદમ નરમ પડી જાય છે, માટે તે છોકરીની પાસે જઈને તેને ખૂબ આકરાં વચનો સંભળાવીને તેને સારી રીતે તુચ્છકારવી, તેને ગાળો આપવી અને તેને ધમકાવવી. તેને મારા જેવાએ કહેવું કે “અરે અધમ પાપી સ્ત્રી ! તે અમારા પ્રભુ (શેઠ-દેવ) ઉપર વક્ર દષ્ટિ કરી છે અને અત્યારે ડાહી ડમરી થઈને બેસી ગઈ છે, પણ યાદ રાખજે કે અમારા પ્રભુનો એક વાળ પણ ૧ કોઈ નેકર વર્ગના માણસને પોતાની શવ્યાપર બેસાડવો તે તેને મોટામાં મોટું માન આપવા તુલ્ય ગણાતું હતું. ૨ મી ડું ઉતારવુંઃ લવણ-લુણ અગ્નિમાં નાખીને ઉતારે છે તેથી દષ્ટિદેષ ચાલ્યો જાય છે એવી ઘરડાંઓની માન્યતા છે. ૩ અપમાર્જનઃ મંત્રથી અમુક બાબત દૂર ફેંકી દેવામાં આવે છે, તેને વાળી બુડીને સાફ કરવામાં આવે છે. ( ૪ રાખની રક્ષા રાખ કાનની બાજુમાં લગાડવામાં આવે છે, તેથી લાગેલી નજર મટી જાય છે અને નવી નજર લાગતી નથી એવી વૃદ્ધોની માન્યતા હાલ પણ જોવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy