SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૩ સાહસ કરનાર બળવાન પરાક્રમી મહાનુભાવ નંદિવર્ધને અહીં પધારીને આપણા નગરને અલંકૃત કર્યું છે, શાભાવ્યું છે, તેથી આપણું આખું નગર ભાગ્યશાળી થયું છે.” લેાકેામાં આવી આવી વાતા ચાલતી હતી તે સાંભળતાં મારા મનમાં મહામેાહને લઇને નીચે પ્રમાણે વિચારે વારંવાર આવવા લાગ્યા કે–અહા મારા મનને અત્યંત આનંદ આપનાર અને મારી ઉન્નતિ કરનારા, સાધારણ રીતે મળવા મુશ્કેલ, આવે! સારો પ્રવાદ (લેાકવાયકા સામાન્ય અભિપ્રાય ) મારા સંબંધમાં લેાકામાં ચાલવા લાગ્યા છે તેનું ખરેખરું કારણ માર્ં અનેક પ્રકારે હિત કરનાર મારો પરમ ઇષ્ટ મિત્ર વૈશ્વાનર જ છે તેમાં જરા પણ શંકા જેવું નથી, છતાં મારે એટલું તે માનવું જ જોઇએ કે મારી વહાલી પત્ની હિંસાએ મારી સામે જોઇને પ્રેરણા કરી તેને લઇને જ આ સર્વ મને મળ્યું છે. ધન્ય છે મારી હિંસાદેવીના પ્રભાવને ! શાખાશ છે એના મારા ઉપર આ સક્તપણાને ! વાહવાહ છે એ મારી પ્રિયાના કલ્યાણ કરવાના ગુણને ! અને રંગછે. એના સર્વત્ર ગુણગ્રાહીપણાને ! ખરેખર ! મારા સુજ્ઞ ઇષ્ટ પ્રિય મિત્ર વેશ્વાનરે જેવું એ મારી વહાલી સ્ત્રીનું લગ્ન થયા પહેલાં વર્ણન કર્યું હતું તેવી જ તે ભલી અને ગુણ કરનારી નીવડી છે એમાં જરા પણ શંકા જેવું નથી-અહે। અગૃહીતસંકેતા!! ખરેખરી વાત તે અમ હતી કે આ સર્વ અનુકૂળ પરિણામ નિપજાવનાર મારા ગુપ્ત મિત્ર પુછ્યાય હતા, પરંતુ તે વખતે પાપથી મારૂં મન ઘેરાઇ ગયેલું હાવાને લીધે પરમાર્થથી મને ખરૂં હિત કરનાર મારા મિત્ર પુણ્યદય છે તે વાત મારા ધ્યાનમાં પણ ન આવી અને તે મેં જાણવાની તસ્દી પણ ન લીધી. આવી રીતે મિત્ર વૈશ્વાનર અને પ્રિયા હિંસામાં અત્યંત આસક્ત રહી ઉપર જણાવ્યા તેવા વિચારો કરતા તેઓ તરફ હું વધારે વધારે દેારાવા લાગ્યો અને તે સિવાય બીજી કોઇ પણ વાત જાણે જાણતા જ ન હાઉં તેમ દિનરાત પસાર કરવા લાગ્યા, આવી રીતે બજારમાં થઇને લોકોના દિલમાં થતા ચમત્કાર સાંભળતા મારા રથ દરબારગઢની નજીક આવી પહોંચ્યા. ૧ નંદિવર્ધન સંસારીજીવ તરીકે અગૃહીતસંકેતા પાસે વાત કરતાં અત્ર તેનું નામ લેછે. વાર્તા ચાલુ છે. ૨ નંદિવર્ધનકુમાર સંસારીજીવ તરીકે પેાતાનું ચરિત્ર સદાગમ આગળ અગૃહીતસંકેતાને ઉદ્દેશીને કહેતાં આગળ ચલાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy