SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૩] વિભાકર સાથે મહાયુદ્ધ ૫૮૭ પિતાના મનમાં કનકશેખરના દીલની મોટાઈ માટે, ગંભીરપણું માટે, શૂરાતન માટે અને સુંદર વચનોચાર માટે ઘણા ઉમદા ખ્યાલ કર્યો અને પછી મોટેથી બોલ્યો “આર્ય! હવે લડવાથી સર્યું! ખરેખર, તમે મને આજે તરવારથી તે જીત્યું છે એટલું જ નહિ પણ પિતાના સુંદર ચારિત્ર (વર્તન)થી પણ જીતી લીધા છે.” ખાનદાન વર્તન. આવાં સુંદર વચનો સાંભળીને કનકશેખરે વિભાકરને જાણે તે પોતાનો પરમ બંધુ હોય તેમ કરીને પતાના રથમાં બેસાડ્યો અને સુંદર વચનોથી તેને બોલાવ્યો. આ પ્રમાણે થતાં લડાઈ પૂરી થઈ. દુમનનું આખું લશ્કર કનકશેખરના સેવકરૂપ થઈ ગયું. લડાઈમાં શું થશે તેના વિચારથી આખા શરીરે ભયથી ધ્રુજતી વિમલાનના અને રનવતીને તે વખતે ત્યાં લાવવામાં આવ્યાં, તેઓને મધુર વાક્યોથી શાંત કરવામાં આવ્યાં અને વિજયપતાકા. મહારાજા કનકચૂડે જાતેજ તે બન્નેને તેના પતિના રથમાં બેસાડ્યા. આવી રીતે વિજયપતાકા મેળવીને અમે પાછા કુશાવર્તનગરમાં પ્રવેશ કરવા તૈયાર થયા. જીત સાથે નગર પ્રવેશ વિજયનું ભાન નંદિવર્ધનને, નંદિવર્ધનના મનની સ્થિતિ, સર્વથી અગાડી ઇંદ્રની પેઠે શેભતા રાજા કનકચૂડ હાથીની અંબાડીપર બેસી પુષ્કળ દાન આપતાં આપતાં પોતાના રાજમંદિરમાં દાખલ થયા. તેની પછવાડે બંધુ કનકશેખર આનંદમાં આવી ગયેલા લેકેની હર્ષમિશ્રિત નજર નીચે થઈને પોતાના મહેલમાં ગયો. તેની પછવાડે રસવતીની સાથે રથમાં બેસીને ધીમે ધીમે હું મારા ઉતારા તરફ જતો હતો તે વખતે નગરની સ્ત્રીઓમાં થતી વાતચીતના દવનિ મારે કાને આવવા લાગ્યા. તેઓ આજની જયશ્રી મારા ઉપર હોંસથી આવા શબ્દોમાં જાહેર કરતી હતીઃ “અહો ! સમરસેન અને દમ જેવા મોટા રાજાઓ જેની સામે લડી શકે તેવા સામા મલ્લ આ દુનિયામાં કઈ નથી, તેવાઓને પણ જીતનાર આ રાજકુમાર નંદિવર્ધનને ખરે ધન્યવાદ ઘટે છે. ધન્ય છે એના શૂરવીરપણને ! ધન્ય છે એની શક્તિને! શાબાશ છે એના કુશળપણને અને ધન્ય છે તેના ગુણોને! ખરેખર, આ નંદિવર્ધન સાધારણ મનુષ્ય નથી પણ કેઈ દેવાંશી પુરૂષ જણાય છે! આ રેલવતીને એની ભાર્યા (પલી) થવાનો વખત આવ્યો છે તે ખરેખર ભાગ્યશાળી છે અને આપણે તેને આજે આપણી નજરે જોઈએ છીએ તેથી આપણે પણ ખરેખરા ભાગ્યશાળી જ છીએ; અથવા તો આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy