SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ કના ખાડામાં ઉતરી જાય છે તે પ્રથમ આ અત્યંત અધમ નગરમાં (શૈદ્રચિત્ત નગરમાં) પ્રવેશ કરે છે. નિમૅળ મનવાળા પ્રાણીઓ તેટલા ઉપરથી એમ સમજી ગયા છે કે તે નરકમાં દાખલ થવાનો માર્ગ છે અને તેટલા માટે જ તેને “નરકનું બારાણું” કહીને વર્ણવવામાં આવેલ છે. એ રોદ્રચિત્ત નગરમાં જે અત્યંત અધમ કાર્ય કરનાર પ્રાગણીઓ રહે છે તેઓ જાતેજ ભયંકર દુઃખે પિતાને શરીરે હાથે કરીને વહોરી લે છે અને બીજા પ્રાણીઓને અનેક પ્રકારનાં દુઃખો આપે છે તેથી એ નગરને “આખા ભુવનને સંતાપનું કારણ ભૂત” કહેવામાં આવ્યું છે. વધારે વર્ણન શું કરવું? ત્રણ ભુવનમાં આ રૌદ્રચિત્તપુર જેવું કઈ પણ ખરાબમાં ખરાબ નગર બીજું નથી.' દુષ્ટાભિસન્ધિ રાજા, એ રોદ્રચિત્ત નગરમાં ચોરોને એકઠા કરનાર, સારા માણસને દુશ્મન, સ્વભાવથી જ ઊંધી પ્રકૃતિવાળે અને નીતિના રસ્તાઓને લેપ કરનારો લગભગ ચેર જે દુષ્ટાભિસંધિ નામનો રાજા રાજ્ય કરે છે. { આ દુનિયામાં માન, કોધ, અહંકાર, લુચ્ચાઈ, લંપટતા વિગેરે જે અંતરંગ રાજ્યમાં રહેલા મોટા ચોરે છે તે સર્વ એ દુષ્ટાભિસન્ધિ રાજાની સેવા સ્વીકારે છે. આ પ્રમાણે અંતરંગ રાજ્યમાં રહેલા ચોરેને તે રાજા સારી રીતે પિષણ (આશ્રય) આપતો હોવાથી તેને “ચેરેને એકઠા કરનાર કહેવામાં આવ્યું છે. સત્ય વચન (ઉચ્ચાર), શૌચ ( બાહ્ય અને અંતરની પવિત્રતા), તપ, જ્ઞાન, ઇંદ્રિયસંયમ, પ્રશમ (શાંતિ) વિગેરે આ લેકમાં સારા વર્તનવાળા આબરૂદાર લે છે તે સર્વને ઉખેડી નાખવાના કામમાં તે દુષ્ટાભિસંધિ રાજા નિરંતર તૈયાર રહે છે એટલા માટે તેને સારા માણસેના મોટા દુશ્મન તરીકે વર્ણવવામાં આવેલ છે. પ્રાણીઓએ બહુ વરસો સુધી ખાસ મહેનત લઈને જે કાંઈ ધર્મ ધ્યાન એકઠું કર્યું હોય, તેનાં શુભ પરિણામ પ્રાપ્ત કર્યા હોય, તે સર્વને એ રાજા અત્યંત ભયંકર હોઈને એક ક્ષણવારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy