SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ પ્રમાણે ઘણી ખરાબ પ્રકૃતિવાળા સંભળાય છે, માટે તમારે તેની ખરાઅર પરીક્ષા કરવી. જેવી રીતે સ્પર્શનની સામતથી ખાળને અનેક અનથા પ્રાપ્ત થયા તેવી રીતે એ વૈશ્વાનર આપને અનર્થનું કારણ ન થાય એ બાબત આપે ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. ” આ હકીકત સાંભળીને તદ્દન નજીકમાં રહેલા વૈશ્વાનર મિત્રે મારી સામું ઇરાદા પૂર્વક જોયું. તેના મુખ ઉપરથી આવેશમાં વિવેકનું હું સમજી ગયા કે વિદુરનાં વચનથી તેના મનમાં ભાન ભૂલી ગયા. ઘણુંજ દુઃખ લાગ્યું છે. અગાઉ તેણે એક સંજ્ઞા (નિશાની ) મને સમજાવી રાખી હતી તેવી નિશાની સૂચનારૂપે મને તેણે (વૈશ્વાનરે) કરી અને મને ક્રરચિત્ત નામનું એક વડું આપી દીધું; અને મેં પણ તેજ વખતે તે વડુ ખાઇ લીધું, જેવું એ વડું મેં ખાધું કે તુરતજ તેના પ્રભાવથી મારા અંતરના તાપ એકદમ વધવા લાગ્યા, આખા શરીરપર ગુસ્સાને લીધે પરસેવાની ઝરીએ વળી ગઇ, આખું શરીર ક્રોધને લીધે ચણેાડી જેવું લાલચેાળ બની ગયું, દાંત વડે હેાડ દબાઇને આવેશના ભાવ બતાવવા લાગ્યા અને કપાળ ઉપર ક્રોધની કરચલીઓ અતિ ભયંકર દેખાવા લાગી. તે વખતે મારા મિત્ર વૈશ્વાનરે આપેલા પેલા વડાના પ્રભાવથી હું એટલો બધો તેને વરા થઇ ગયો કે મેં પાપીએ વિદુરના મારાપર એટલો પ્રેમ અને એટલી વત્સળતા હતા તેને વિસારી દીધા, તેણે જે કહ્યું હતું તે મારા હિત ખાતર જ કહ્યું હતું તે વાતને પણ ભૂલી ગયો, તેની સાથે ઘણા વખતના સંબંધ હતા તેને ગણ્યા નહિ, તેની સાથે એહભાવ હતા તેના ત્યાગ કરી દીધો, દુર્જનપણું સ્વીકારી લીધું અને અત્યંત આકરા અને નિર્દય વચના વડે વિદુરના તિરસ્કાર કરતાં હું બાલ્યા—“અરે દુરાત્મા ! લાજ વગરના ! શું તું મને ખાળ જેવા ગણે છે? અને શું પેલા ન કલ્પી શકાય તેવા પ્રભાવવાળા અને મારા ઉપર અનેક પ્રકારના ઉપકાર કરનાર અંતરંગમાં રહેલા મારા હૃદયવત્સલ વૈશ્વાનરને તું પેલા દુષ્ટ પાપી સ્પર્શન જેવા ગણે છે?” ૧ જ્યારે ક્રોધ થાય છે ત્યારે શરીરને આવેાજ દેખાવ થાય છે. ક્રોધ કરનારનું નિરીક્ષણ કરવાથી તે ખરાખર જોઇ શકાશે. ૨ પ્રે।. જેકાખીએ છપાવેલા ર. એ. સેનેા ખાસ ભાગ અહીં પૂરા થાય છે, તુવે પ્રથમના છાપેલા ભાગનું પૃ. ૩૪૧ અહીંથી શરૂ થાય છે. ૩ સ્પર્શનના દૃષ્ટાન્તના અધમ પાત્ર, એની કથા હમણાજ પૂરી થઇ છે તે ખ્યાલમાં હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy