SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ આવ્યાં. એ મહાત્સવના આઠે દિવસ મનીષીને મોટા જયકરિવર નામના હાથી પર બેસાડી નગરના ત્રીક, ચાક અને ચવરમાં ફેરવવામાં આવ્યા. તે વખતે રાજા પાતે તેની આગળ મંત્રી સામંતાસહિત પગે ચાલતા હતા; તેથી જાણે ઇંદ્રમહારાજે ઐરાવત હાથીપર આરૂઢ કરેલ હોય એવી મનીષાની શોભા લાગતી હતી અને તે વખતે દેવતાના આકાર ધારણ કરનારા શહેરીએ અનેક પ્રકારે તેની સ્તુતિ કરતા હતા. આવી રીતે મનીષીને આખા નગરમાં ફેરવીને શત્રુમર્દન રાજાએ અપ્રતીમ વિલાસેાને તેને અનુભવ કરાવ્યા. એ પ્રમાણે મહાત્સવ ચાલતાં આઠમે દિવસ આવી પહોંચ્યા. રાજસભામાં જજૂદા જૂદા સર્વ માણસોને સન્માન આપતાં પ્રથમના બે પહેાર પસાર થયાં. સૂર્યની ચાલ જાણે મનીષીનું ચરિત્રજ સૂચવતી હાય નહિ તેમ તે વખતે સમય જણાવનાર (ઘંટ વગાડનાર પહેારેગીર) દરવાને જણાવ્યું “ લોકોમાં અંધકાર દૂર કરીને અને બુદ્ધિમાન પ્રાણીઓને આનંદ ઉપજાવીને આ સૂર્ય હવે સર્વને મસ્તકે આવ્યા “ છે તે એમ સ્પષ્ટપણે જણાવે છે કે જેમ વધતા વધતા પ્રતાપથી ' ' cr (વધારે તાપથી ) હું સર્વની ઉપર આવી રહ્યો છું તેવી રીતે પાતાના ગુણુથી સર્વ પ્રાણીઓ લેાકાની ઉપર આવી શકે છે-સર્વની ઉપ૨ “ પેાતાનું આધિપત્ય સ્થાપન કરે છે.” નિષ્ક્રમણ મહાત્સવ, સમય જણાવનારના આવા શબ્દો સાંભળી શત્રુમર્દન રાજાએ સુબુદ્ધિ મંત્રી વિગેરેને ઉદ્દેશીને કહ્યું, “ અહા! મૂહુર્તના વખત હવે નજીક પહોંચ્યા છે તેથી હવે આચાર્ય મહારાજ પાસે જવાની સર્વ સામગ્રી એકદમ તૈયાર કરો !” સુબુદ્ધિ મંત્રીએ કહ્યું “ મહારાજ ! જાણે મનીષીની પુણ્યપરિપાટિ હોય તેમ આપની સર્વ સુમુદ્દિની ખાદ્ય સામગ્રી તૈયાર જ છે. સેાના જેવા ઉજ્જવળ રથા સામગ્રીની યાજના જેને ઘેાડા જોડવામાં આવ્યાં છે તે ઘણઘણુ અવાજ કરતા તૈયાર થઇને ચાલવા મંડી ગયા છે. એની ગુણપ્રતાપ. ૧ ત્રીફ, ચશ્વર, ચાફ ત્રણ રસ્તા મળે તેને ત્રીક અને ચાર એકઠાં મળે તેને ચત્વર કહે છે અને ખુલ્લી જગાએ હોય તેને ચાક કહે છે. ૨ પ્રતાપ શ્લેષ છે: (૧) સુર્ય સંબંધે સખ્ત તાપ અને (૨) મનીષી સંબંધે તેજ-કાંતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy