SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ પર૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. કરતાવ ૩ નથી; કારણ કે મોટે હાથી ત્યાં સુધી જ શૂરવીર અને ત્રાસ આપનાર દેખાય છે કે જ્યાં સુધી વિકાળ દાઢવાળે સિંહ દેખાવ આપતો નથી; પણ જેવી હાથીને દૂરથી સિંહની ગંધ પણ આવે છે કે તુરત તે ધ્રુજી ઉઠે છે અને પછી તે બીકણ બાયેલા જેવો લાગે છે. આ પ્રમાણે હોવાથી મનીષીની અપેક્ષાએ તો મારી મધ્યમરૂપતા યોગ્ય જ છે. એ મહાભાગ્યશાળી માણસ ખરેખરે સિહ છે અને તેની અપેક્ષાએ મારા જેવા બીકણ હાથીઓજ છે. તેથી મારે આ બાબતમાં દિલગીરી કરવી યોગ્ય નથી; કારણ કે ઉત્તમ પુરૂષની ગણનામાં નહિ તો મધ્યમ પુરૂષોની ગણનામાં આવવું તે પણ મારા જેવા પ્રાણીઓ માટે તો મોટું સદ્ભાગ્ય ગણાય. મધ્યમવર્ગનો અશક્ત પ્રાણું હોય અને કદિ પોતાનાં કાર્યો પૂરાં કરે તે સર્વોત્તમ થઈ શકે, પણ જઘન્ય હોય તે તે કદિ એકદમ સર્વોત્તમ થઈ શકતો નથી. મારા મનમાં અગાઉ હું સર્વોત્તમ છું એવું એક જ મિથ્યા અભિમાન ન હોતું, પણ બીજી ઘણી બાબતોનાં મિથ્યા અભિમાનો હતાં. પણ હવે તેની ચિંતા કરવાથી ફળ શું? ઘર્માનુષ્ઠાનનિમિત્તકની ઉપકારિતા. નિજવિલસિત ઉદ્યાનને મહા પ્રભાવ વ્યક્તિભેદે વિચિત્ર પ્રકારના ક્ષેત્રસ્વભાવ, રાજા આ પ્રમાણે વિચાર કરતો હતો તે વખતે સુબુદ્ધિ મંત્રી બેલ્યો “આપના ઉપર એ મોટો ઉપકાર કરનાર છે એ વિચાર આપે બહુ સારો કર્યો. કારણ કે જૈન ધર્મના અનુષ્ઠાનની પ્રવૃત્તિ કરવામાં જે કંઇ જરા માત્ર પણ નિમિત્તભૂત થાય તેના જે મેટે ઉપકાર કરનાર આ દુનિયામાં બીજો કોઈ પ્રાણુ નથી.” શત્રમર્દન—“ખરેખર, એ બાબત તું કહે છે તે જ પ્રમાણે છે. હવે એક બીજી વાત કહું. મારા મનમાં એક વિચાર વારંવાર આવ્યા કરે છે. આચાર્ય મહારાજના વચનને વારંવાર સંભારી તેનું નિરાકરણ મારા મનમાં વારંવાર કર્યા કરું છું તે પણ ભિક્ષા રાજાનો પ્રશ્ન, માગનાર લાજ વગરના બ્રાહ્મણની પેઠે વારંવાર તે શંકા સમાધાન. વિચાર મારા મનમાં આવ્યાજ કરે છે. હવે એ મારી શંકા તારે દૂર કરવી જોઈએ.” સુબુદ્ધિ–તે વિચાર કેવા પ્રકારનો છે તે જણાવવા આપ કૃપા કરશે ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy