SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ ] નિજવિલસિતઉદ્યાનપ્રભાવ. ૫૨૫ મધ્યમ બુદ્ધિને ઉદ્દેશીને શત્રુમર્દને રાજાએ સુબુદ્ધિ મંત્રીને કહ્યું “મિત્ર! આ મધ્યમબુદ્ધિએ પણ અમારા ઉપર ઘણે ઉપકાર કર્યો છે !” સુબુદ્ધિ–“તે કેવી રીતે?” શત્રમર્દન–“સાંભળ. આચાર્ય મહારાજે આજે જ્યારે અપ્રમાદ યંત્રના સંબંધમાં 'ઉપદેશ આપ્યો ત્યારે ભયંકર લડાઈના મેદાનમાં બીકણુ માણસને જેમ આકુળવ્યાકુળતા થઈ જાય તેવી વ્યાકુળતા મને થઈ આવી હતી, કારણ કે મને તે વખતે એમ લાગ્યું હતું કે એ અપ્રમાદયંત્રને ગ્રહણ કરીને તદનુસાર વર્તન કરવું તે મારા જેવા માટે ઘણું મુશ્કેલ હતું; તે વખતે આ મધ્યમબુદ્ધિ મહાત્માએ આચાર્ય ભગવાનને ગૃહસ્થ ધર્મ પિતાને આપવાની માગણી કરી અને તે મારાથી પણ ગ્રહણ થઈ શકે તેવા પ્રકાર છે એવી બુદ્ધિ મારામાં ઉત્પન્ન કરીને મને આશ્વાસન આપ્યું અને મારી વ્યાકુળતા દૂર કરી. ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવાથી મારા મનમાં પણ ઘણું ધીરજ આવી, મને માટે ટેકો મળ્યો અને મારા ચિત્તમાં ઘણો આનંદ થયો. તે સર્વનું કારણ એ મધ્યમબુદ્ધિની સૂચના અને પ્રશ્ન હતાં. એથી એણે પણ મારા ઉપર મેટો ઉપકાર કર્યો છે.” - સુબુદ્ધિ–“એ મધ્યમબુદ્ધિ યથાર્થ નામવાળો છે. લેકોમાં એવી કહેવત પણ છે કે સરખા ગુણ, વર્તન, સુખ અને દુ:ખવાળાને જ પ્રાયે દોસ્તી થાય છે, જે સામું તૈસા મિલે, તૈસામું મીલે તાઈ. એનું વર્તન મધ્યમ પ્રકારનું હોવાથી તે મધ્યમ સ્થિતિના માણસોને આશ્વાસન આપે તે ઉચિત છે.” રાજાએ પિતાના મનમાં વિચાર કર્યો કે અહો! મારા મનમાં અત્યાર સુધી એવું મિથ્યા અભિમાન હતું કે હું રાજા છું તેથી સર્વ પુરૂષોમાં શ્રેષ્ઠ છું અને અત્યારે આ સુબુદ્ધિ મંત્રીએ યુક્તિપૂર્વક વાત કરીને અર્થોપત્તિથી મને મધ્યમ જન (સામાન્ય માણસ– બહુ ઊંચે નહિ અને તદ્દન નિર્માલ્ય નહિ-વચલા વર્ગને મનુષ્ય)ની ગણનામાં મૂકી આપે. ખરેખર મારા મિથ્યા અભિમાનને ધિક્કાર છે! અને એવું અભિમાન કરનાર મને પણ ધિક્કાર છે ! અથવા તે ખરેખર વસ્તુસ્થિતિ એવી જ છે તો પછી મારે તેમાં દિલગીર થવા જેવું ૧ જુઓ પૃષ્ઠ ૫૧૧. ત્યાં મધ્યમબુદ્ધિએ ગૃહસ્વધર્મ સંબંધી પ્રશ્ન આચાવૈને કર્યો છે. ૨ By inference. અનુમાન પરંપરાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy