SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૧ અધમ દુર્જન પ્રાણીની નિંદા કરવામાં પિતામાં કઇક દુર્જનપણું આવે છે અને તેઓની સ્તુતિ કરવામાં અસત્ય ભાષણ થાય છે, માટે તેના સંબંધમાં તે આંખ આડા કાન કરવા તેજ વધારે પિગ્ય છે.” તેટલા માટે ક્ષીર સમુદ્ર જેવા નિર્મળ અને વિશાળ મનવાળા, ગંભીર હૃદયવાળા, લઘુકર્મી, ભવ્ય સજજનો આ કથાના અધિકરી છે. આવા અધિકારી સજન પ્રાણીઓની નિંદા કરવી નહિ, તેમજ તેની પ્રશંસા કરવાની જરૂર નથી, તેઓના સંબંધમાં મૌન ધારણ કરવું તે હિત કરનાર છે. એનું કારણ એ છે કે એવા અનેક ગુણથી ભરેલા મહા પુરુષોની નિંદા કરવી એ તો મહા પાપ છે અને મારા જેવો જડબુદ્ધિ તેઓનું ગ્ય સ્તવન કરી શકે, તેઓની પૂરતી પ્રશંસા કરી શકે તે તદ્દન અશક્ય છે. આવા સજ્જન પુરુષની ખાસીઅત એ હોય છે કે તેઓની સ્તુતિ કરવામાં આવી ન હોય તેપણ કાવ્યમાં જે ગુણ હોય છે તે તે તેઓ પોતાની જાતે જોઈ શકે છે, સમજી શકે છે અને કઈ દે હોય તો તેને ઢાંકી દે છે, એટલે પ્રકૃતિથી તેઓ દુધને ગ્રહણ કરી પાણીને ફેંકી દેનારા હોય છે અને તેમ કરવામાં પોતાની પ્રશંસાની તેઓ રાહ જોતા નથી. તેઓની સ્તુતિ કરવાની તેટલા માટે ખાસ જરૂર નથી, માત્ર આવા વિશાળ બુદ્ધિવાળા સર્જનને વિજ્ઞપ્તિ કરવાની છે કે તેઓએ આ કથા બરાબર સાંભળવી અને એટલી વાત કરવા માટે જ આટલી હકીકત અહીં કહેવામાં આવી છે. હે ભવ્ય પ્રાણુઓ! તમારું મન સ્થિર કરી કાન દઈ મારા ઉપર કૃપા કરી હું જે કહેવા માગું છું તે થોડી વાર બરાબર સાંભળશે.' ગ્રંથકર્તાની પ્રસ્તાવના ૧ મંગળ, વિષય, પ્રજન, સંબંધ અને આધકારી એ પાંચ બાબત ગ્રંથની શરૂઆતમાં જણાવવાનું વિશિષ્ટ સંપ્રદાય આવી રીતે અમલમાં મૂકી ગ્રંથકર્તા ઉપદુઘાત કરે છે. પ્રસ્તાવના વડૅમાન શૈલી અનુસારે છે તે માટે વિવેચન ભા. ક. ની ઉપોદ્દઘાતમાં જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy