SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ ] અપ્રમાદ યંત્ર-મનીષી. ૫૩ સુબુદ્ધિ મંત્રીએ વિચાર કર્યો કે રાજાની એ અન્ને ઉપર ઘણીજ અવકૃપા થઇ છે અને તેના આવેશમાં આવીને રાજા આ પ્રમાણે હુકમ કરેછે. રાજા અત્યારે એટલા બધા આવેશમાં આવી ગયેલા છે કે જ્યારે મને પેાતાની પાસે રાખ્યા ત્યારે મને વચન આપ્યું હતું કે કોઇ પણ હિંસાના કામમાં જોડાવાનું મને ફરમાવવામાં આવશે નહિ’ એ વચન પણ તેએ ભૂલી ગયા જણાય છે. વારૂ, પણ આચાર્ય મહારાજ આ જ હકીકત પરથી રાજાને પ્રતિબાધ કરવાનું કારણ શેાધી કાઢશે, મારે તે રાજાની આજ્ઞા માથે ચઢાવવી એજ ઉચિત વાત છે. એ પ્રમાણે મનમાં વિચાર કરી સુબુદ્ધિ મંત્રી એલ્યા “ જેવા મહારાજા સાહેબના હુકમ ! ” આટલું બેલી સુબુદ્ધિ મંત્રી પેલા સ્પર્શન અને અકુશળમાળાને રાજાના હુકમ નિવેદન કરવા સારૂ જવાની તૈયારી કરવા લાગ્યા. તે વખતે આચાર્ય મહારાજ આવ્યા “ એ બન્નેના સંબંધમાં એવી આજ્ઞા કરવાથી સર્યું ! તેઓને મૂળમાંથી ઉખેડી નાખવાનેા આ ઉપાય નથી, કારણ કે સ્પર્શન અને અકુશળમાળા અંતરંગ જાતિના છે અને અંતરંગ લેાક ઉપર ઘાણી કે ફાંસી કે બીજાં કાઇ પણ હુથીઆરે ચાલતાં નથી, બહારનાં કોઇ પણ શસ્ત્રો-હથિયારા તે સુધી પહોંચી જ શકતાં નથી.” શત્રુમર્દન—“ ત્યારે સાહેબ ! એ બન્નેના નાશ કરવાના શું ઉ પાય છે તે કહા” સ્પર્શનને ઉન્મૂલન કરવાના સાચા ઉપાય, અપ્રમાદ યંત્ર. આચાર્ય અંતરંગમાં એક અપ્રમાદર નામનું યંત્ર છે તે એ સ્પર્શન અને અકુશળમાળાના નાશ કરે તેવું છે. આ અહીં જે સા ૧ સુબુદ્ધિ મંત્રી--એ રાજાનુંજ Conscience છે એ વાત ધ્યાનમાં રાખવી. ૨ પ્રમાદઃ સમયમેં ગેયમ મ કરે પ્રમાદ સમય નોયમ મા પમાણુ એ સૂત્ર છે. (જીએ પ્રથમ પ્રસ્તાવ-પરિશિષ્ટ ઍ ના૦ ૪. રૃ. ૨૪૨-૨૪૫) ધર્મકાર્યમાં-આમાગૃતિમાં એક સમયે પણ પ્રમાદ ન કરવા. નિરંતર કર્મશત્રુનેા નાશ કરવા તત્પર રહેવું એ રૂપ ‘ અપ્રમાદ ’-પ્રમાદને ત્યાગ નામનું યંત્ર અંતરંગમાં છે. પ્રમાદ આઠ પ્રકારના બતાવ્યા છેઃ (૧) અજ્ઞાન, (ર) સંશય, (૩) મિથ્યા જ્ઞાન, (૪) રાગ, (૫) દ્વેષ, (૬) સ્મૃતિભ્રંશ—વિસ્મરણ, (૭) ધર્મને અનાદર, (૮) યોગાનું દુઃપ્રણિધાન-માયાગાદિને દુષ્ટપણે ધારણ કરવાં તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy