SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧] પ્રબોધનરતિ આચાર્ય. ૪૬૭ સૌંદર્ય અને ઔદાર્યના યોગ થયેલા હાવાથી તે દેવલાકથી પણ વધારે મેટું જણાતું હતું. શ્રીમાન્ યુગાદિદેવ શ્રી આદીશ્વર ભગવાનના બિંબને તે મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. એ મંદિરની ચારે તરફ ઊંચે વિશાળ ગઢ આવી રહેલા હતા. લોકનાથ શ્રી યુગાદિદેવની મધુર સ્વરથી સ્તુતિ કરતાં અને સ્તોત્રો ખેાલતાં શ્રાવકોના કર્ણપ્રિય અવાજ સાંભળીને એ શું હશે એ જાણવાના કૌતુથી ત્રણે કુમારે મંદિરમાં દાખલ થયા. તેઓએ ત્યાં મહા ભાગ્યવાન્, શાંત, ધીર પ્રબોધનરતિ આચાર્ય મહારાજને જોયા. તેઓશ્રી ત્રણે ભાઇઓને દક્ષિણ દિશામાં બિરાજમાન થયેલા હતા, દેવભુવઆચાર્ય દર્શન. નના આંગણાના આભૂષણ જેવા દેખાતા હતા, અતિ વિનયી સાધુઓની વચ્ચે બેઠેલા હતા, મહા તપસ્વી હતા અને સંસારસમુદ્રથી પાર ઉતારનાર તીર્થંકર મહારાજના કલંક વગરના શુદ્ધ સનાતન ધર્મ પ્રાણીઓને સંભળાવતા હતા. તે વખતે જાણે અનેક તારાઓવાળા આકાશમંડળમાં એક ચંદ્ર શાભતા હોય તેમ તેઓશ્રી શેશભતા હતા. મનીષી મહા નિર્મળ ચિત્તવાળા અને ભાવીભદ્રાત્મા હોવાથી તેણે પ્રથમ જિનબિંબને પછી આચાર્ય મહારાજને નમસ્કાર કરીને છેવટે સર્વ મુનિઓને પાવંદના કરી. કાંઇક શુદ્ધ મનથી તેની પછવાડે પછવાડે મધ્યમબુદ્ધિએ દેવ અને સાધુએને નમસ્કાર કર્યાં. પાપી માતા અકુશળમાળા અને મિત્ર સ્પર્શનની અસર નીચે મૂકાયલા અધમ માળ કોઇને પણ નમ્યા નહિ, તેણે કોઇને વંદના પણ કરી નહિ અને કોઇને પગે પણ લાગ્યો નહિ, માત્ર સ્તબ્ધ મનવાળા થઈને એક ગામડીઆ જેવા-મુડથલ જેવા દેખાતા મનીષી અને મધ્યમબુદ્ધિ ઊભા હતા ત્યાં જઇને તેઓની પાછળ ગોઠવાઇ ગયા. ગુરૂ મહા ૧ સૌંદર્ય અને ઔદાર્યું: દેવલાકનાં ચેત્યામાં સૌંદર્ય બહુ હાય છે, કારણ કે દેવાને રન મણિ માણેકની ખાટ હાતી નથી. આ હૃદયમંદિરમાં સૌંદર્ય સાથે વિશાલ હૃદયની અંદર રહેલી ઉદારતા પણ સ્પષ્ટ જણાતી હતી; તેથી તે દેવલાકન મંદિર કરતાં પણ વધારે ભવ્ય હતું. દેવલેાકમાં સૌંદર્ય હાય છે પણ આ હૃદયમંદિરમાં ઔદાર્ય વધારામાં હતું તેથી પણ તેની વિશિષ્ટતા છે. સૌંદર્ય અને ઔદાર્ય (૧) દેવલાક પક્ષે સ્થૂળ અને (૨) મંદિર પક્ષે માનસિક સમજવાં. એ રીતે આ શ્લેષ ઘણા અર્થસૂચક છે. ૨ સનાતનઃ નિણિત, અનાદિ, ને. ' ૩ લાવીભદ્રાત્મા જેનું નજીકના ભવિષ્યમાં સારૂં થવાનું છે તેને ભાવી. ભદ્રાત્મા ’ કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy