SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ ] આળમધ્યમમનીષી અને સ્પર્શન. ૪૪૫ એ પાતાને પેાતાના ભાઇ માળથી કેવી રીતે વિયેાગ થયા હતા તે સંબંધી સર્વ હકીકત કહી સંભળાવી. આ હકીકત સાંભળીને પેલા નંદને કહ્યું ઃ ભાઇ! જો એમજ છે તેા તારે હવે દીલગીર થવાની જરૂર નથી. તારા ભાઇ સાથે તારા મેળાપ જરૂર થઇ શકશે. ’ એ મેળાપ કેવી રીતે થશે ?' એમ મધ્યમમુદ્ધિએ તેને પૂછતાં તેના જવાબમાં નંદને કહ્યું · ભાઇ મધ્યમબુદ્ધિ ! સાંભળ. આ નગરમાં અમારા સ્વામી હરિચન્દ્રે નામના રાજા રહે છે. તેને વિજય માઢર શંખ વિગેરે નજીકમાં રહેનાર માંડળીક રાજાએ વારંવાર ત્રાસ આપ્યા કરતા હતા. એ રિશ્રન્દ્ર રાજાને એક રતિકેલિ નામના વિદ્યાધર પરમ મિત્ર છે. એક વખત વિદ્યાધર અમારા રાજાપાસે આવ્યેા હતેા તે વખતે તેણે શત્રુઓ તરફથી અમારા રાજાને થતા ઉપદ્રવાની વાર્તા સાંભળીને રાજાને એક ભયંકર વિદ્યા આપવા જણાવ્યું અને કહ્યું કે એ વિદ્યાના પ્રભાવને લીધે તું એ તારા સીમાડાના રાજાઓથી કદિ પણ પરાભવ પામીશ નહિ. રાજાએ એ હકીકત સાંભળીને પેાતાના વિદ્યાધર મિત્રના આભાર માન્યો. ત્યાર પછી પેલા વિદ્યાધરે અમારા રાજા પાસે છ મહિના સુધી એ વિદ્યા સિદ્ધ કરવા માટે પૂર્વસેવા કરાવી અને આજથી આઠમે દિવસે તે અમારા રાજાને કોઇ જગાપર લઇ ગયા, તેની પાસે વિદ્યાની સાધના કરાવી અને બીજા એક પુરૂષની સાથે રાજાને બીજે દિવસે પાછે નગરમાં લઇ આવ્યે. રાજાની સાથે આણેલા તે પુરૂષના માંસ અને લોહી વડે હામક્રિયા કરવા માંડી. એ પ્રમાણે વિદ્યાની સાત દિવસ સુધી પશ્ચાત્સેવા કરી. તે પુરૂષ કે જેને વિદ્યાધર લઇ આવ્યા હતા અને જેના માંસ લેાહીથી હામ હવન કરવામાં આવ્યા હતા તેને આજે જ છેડ્યો છે અને મારૂં માનવું એમ છે કે એજ પુરૂષ તારા ભાઇ હાવા જોઇએ. હવે મારે તને કહેવું જોઇએ કે રાજાએ તે પુરૂષને હમણાંજ મને સોંપ્યા છે. 'મધ્યમમુદ્ધિએ કહ્યું - જો એમજ હાય તે મારા ઉપર મહેરબાની કરીને તે પુરૂષને હમણાંજ મને બતાવા કે જેથી તે મારા ભાઇ છે કે નહિ તેની ખરાખર હું ખાત્રી કરૂં !' એમ કરવાની હા પાડીને નંદન ( રાજપુરૂષ) તેને લાવવા માટે ગયા અને બાળને ઉપાડી લાવીને થાડા વખતમાં પા આવ્યા. ૧ પૂર્વસેવાઃ વિદ્યા સિદ્ધ કરવા પહેલાં સાધના કરવી પડે તે. તેમાં જપ, તપ, બ્રહ્મચર્ય વિગેરેના સમાવેશ થાય છે. ૨ પાસેવા; વિદ્યા પ્રાપ્ત થયા પછી કરવાની વિધિએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy