SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ ] મદનકુંદળી. ૪૩૫ ખાટા બંધાઇ ગઇ છે અને કામદેવને ઉદ્દીપન કરે તેવી સુગંધ સાથે મલયાચળના પવન મંદ મંદ વાઇ રહ્યો છે. આવા વસંતઋતુના સમયમાં કામદેવના કાળથી આનંદિત થઇને મધ્યમબુદ્ધિને સાથે લઇને આળ ક્રીડા કરવા માટે એક દિવસ બહાર નીકળી પડ્યો. તે બહાર નીકળ્યા તે વખતે તેના અંતરંગ રાજ્યમાં વર્તનારી તેની માતા તેની સાથે હતી અને મિત્ર સ્પર્શન પણ તેના શરીરમાં દાખલ થઇ ગયેલા હતા. એવા વખતે અને એવા સંયેાગેામાં કુમાર મધ્યમબુદ્ધિ સાથે નગરની બહાર નંદનવનની શાભાને દેખાડતું લીલાધર નામનું ઉદ્યાન છે ત્યાં તે આવી પહોંચ્યા. એ ઉદ્યાનના મધ્ય ભાગમાં એક મોટું મંદિર છે, તેના શિખર બહુ ઊંચાં અને શ્વેત છે, તે મંદિર મનને અત્યંત આનંદ આપે તેવું છે અને એ મંદિરને મોટાં મોટાં તેારણેા લટકાવી દઇને તેની શાભામાં વધારા કરવામાં આન્યા છે. બગીચાના મધ્યભાગમાં આવી રહેલ તે મંદિરમાં લોકોએ સ્ત્રીઓના હૃદયને અતિ આનંદ આપનાર રતિના પતિ શ્રી કામદેવની પ્રતિષ્ઠા કરીને દેવ તરીકે બેસાડેલ છે. એ દેવની લાકા તેરસને દિવસે પૂજા કરે છે અને આજે તેજ તિથિ છે ( તેરસ છે ). કુમારિકાઓ ત્યાં સારો પતિ મેળવવાનેા લાભ મળવા સારૂ પૂજા કરવા આવે છે, પરણેલી સ્ત્રીઓ પાતાના સૌભાગ્યમાં વધારો થવાના લાભ મેળવવા સારૂ પૂજા કરવા આવે છે, કેટલીક સ્ત્રી પાતાના પતિના એહ ન હેાય તે સેહને પ્રાપ્ત કરવાના લાભ મેળવવા સારૂ ત્યાં પૂજા કરવા આવે છે અને માહથી અંધ થયેલા કામી પુરુષા પેાતાને પસંદ આવે તેવી સ્ત્રીએ સાથે સંબંધ કરવાની તક મેળવવાની લાલચે પૂજા કરવા સારૂ એ મંદિરમાં આવે છે. લીલાધર ઉદ્યાન. મન્મથમંદિર. કામદેવની શય્યાપર ખાળકુમાર, કામદેવના મંદિરમાં આજે મેાટા અવાજો અને ગડબડ થતી સાંભળીને ત્યાં શું થતું હશે એ જોવાના કૌતુકથી બાળ કુમાર પોતાના ભાઇ મધ્યમમુદ્ધિ સાથે એ મંદિરમાં દાખલ થયા. તિના નાથ કામદેવને કોઇ ભક્તિપૂર્વક પ્રણામ કરી રહ્યું છે, કોઇ પ્રયત્ન પૂર્વક તેની ૧ અનંગત્રયેાદશી. આ તેરસને દિવસે કામદેવની પૂજા થાય છે. ઉત્તર હિંદમાં આ પર્વ હાલ પણ પ્રચલિત છે એમ સાંભળ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy