SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૩ આવી પહોંચ્યું. તેમાં જે પુરુષ હતા તેનું નામ કાળજ્ઞ હતું અને સ્ત્રી હતી તેનું નામ વિચક્ષણા હતું. તેઓ બન્ને આકાશમાં ફરતા હતા, તે વખતે બન્નેએ આ મનુષ્યજોડલાને અગીચામાં ફુલા વીણતાં જોયાં. કર્મનાં પરિણામ અર્ચિત્ય હાવાને લીધે, તે અન્ને મનુષ્યદંપતી અતિ સુંદર હાવાને લીધે, કામદેવ હમેશાં પરિણામના વિચાર કર્યા વગર કામ કરતા હેાવાને લીધે, વસંતના સમય કામદેવને ઉદ્દીપન કરનાર હાવાને લીધે, તે પ્રદેશ ઘણા સુંદર રમણીય અને આકર્ષક હોવાને લીધે, યૂંતર દેવાને રમત ગમત કરવાના અને ટીખળ કરવાના સ્વભાવ-શેખ હાવાને લીધે, ઇંદ્રિયો સ્વાભાવિક રીતે ચપળ હાવાને લીધે, વિષયાભિલાષને દૂર કરવા અતિ મુરકેલ હોવાને લીધે, મનેાવૃત્તિ અતિ ચપળ હાવાને લીધે અને તે બનાવે! તેજ પ્રકારે બનનારા હાવાને લીધે તે વ્યંતરદંપતીમાંથી કાળજ્ઞને અકુટિલા ઉપર તીવ્ર પ્રેમ થયો અને વિચક્ષણાને મુગ્ધકુમાર ઉપર બહુ રાગ થયા. હવે જો આ વાતની અરસ્પરસ ખબર પડે તે પંચાત થાય તેથી કાળા વ્યંતરે પોતાની સ્ત્રીથી એ હકીકત છુપાવવા માટે યુક્તિ કરવા માંડી અને તેમ કરતાં વિચક્ષણાને કહ્યું “ દૈવિ ! તમે આગળ ચાલેા ! પ્રભુભક્તિ માટે થોડાં પુષ્પો આ રાજમગીચામાંથી વીણીને હું તમારી પાછળ આવુંછું. ” વિચક્ષણાનું મન તે વખતે મુગ્ધકુમારે હરણ કર્યું હતું તેથી તે પણ ચુપચાપ મૌનપણે આગળ ચાલી. કાળજ્ઞ વ્યંતર અકુટિલા બગીચામાં પુષ્પ વીણતી હતી તે દિશા તરફ ચાલ્યેા અને ખૂબ ઝાડીવાળા પ્રદેશમાં નીચે ઉતર્યાં તેથી વિચક્ષણા જંતરીને દેખાતા બંધ થઇ ગયા. પછી કાળજ્ઞ અંતરે વિચાર કર્યો કે અરે ! આ મનુષ્યદંપતી શા માટે એક બીજાથી દૂર ફર્યાં કરે છે અને એક બીજાથી વધારે વધારે દૂર શા માટે જતા જાય છે એ સંઅંધી તપાસ કરવી જોઇએ. પછી તે યંતરે વિભંગજ્ઞાનના ઉપયોગ મૂક્યો તેથી તેઓ એક બીજાથી દૂર શા માટે વિચરે છે તેનું કારણુ તેના જાણવામાં આવી ગયું. હવે અકુટિલાને પેાતાને વશ કરવાના ઉપાય તેણે પેાતાના મનમાં તુરતજ વિચારી લીધેા અને પોતે (કાળજ્ઞત્યંતરે) મુગ્ધકુમારનું વૈક્રિય રૂપ ધારણ કરી લીધું, હાથમાં સેાનાની કાળજ્ઞની યુક્તિઃ ૧ વિભંગજ્ઞાન: અવધિજ્ઞાનથી દૂરની વસ્તુનું જ્ઞાન થાય છે. અજ્ઞાન ૬શામાં ભવપ્રાયેાગ્ય જ્ઞાન જેને હેાય તેને વિભંગજ્ઞાન કહેવામાં આવે છે. મિથ્યાત્વી દેવેને અને અસુરેશને એ જ્ઞાન હેાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy