SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ આમાં તત્ત્વ શું છે અને મારે શું કરવું યોગ્ય ગણાય? અથવા આ પ્રમાણે સંકલ્પ વિકલ્પ કરવાથી શું લાભ મળવાનો છે? માતાજી પાસે જઈને તેમને જ સર્વ હકીક્ત પૂછવી એ વધારે ઠીક છે અને પછી તે જે પ્રમાણે હુકમ કરે તે પ્રમાણે આચરણ કરવી. માતા પાસે સવાલ; સંશયમાં કાળક્ષેપ; માતૃકથિત અંતરકથા, આ પ્રમાણે વિચાર કરીને મધ્યમબુદ્ધિ પિતાની માતા સામાન્યરૂપા પાસે ગયો, તેને પગે પડય; તેણીએ તેનાં ઓવારણું લીધાં, મધ્યમબુદ્ધિ જમીન પર બેઠે, પછી તેણે બધી હકીકત પોતાની માતુશ્રીને કહી સંભળાવી. સર્વ હકીકત સાંભળી લીધા પછી સામાન્યરૂપાએ કહ્યું “વત્સ! હાલ તે તારે સ્પર્શન અને મનીષી બન્નેનાં વચનને અનુકૂળ રહીને વર્તવું જેથી તે મધ્યસ્થપણે રહીશ એટલે તને કઈ પણ પ્રકારના ભયનું કારણ રહેશે નહિ. કાળાન્તરે પછી વધારે હકીકતની માહીતગારી તને મળે ત્યારે જે પક્ષ વધારે બળવાન છે એવું જાણુવામાં આવે તેને આદર અને જે ઓછો બળવાન જણાય તેને છેડી દેવ. વ્યવહારશાસ્ત્રમાં કહ્યું છે કે બે જુદાં જુદાં કામેના સંબંધમાં જ્યારે મનમાં શંકા ઉત્પન્ન થાય ત્યારે હંમેશા કાળક્ષેપ કરે તેના સંબંધમાં બે જોડલાંનું દૃષ્ટાન્ત ધ્યાનમાં રાખવું, 2 મધ્યમબુદ્ધિએ તે બે જોડલાં કેણ હતાં તે પૂછવાથી સામાન્યરૂપાએ મિથુનયની વાત કહેવા માંડી. ૧ જુદી જુદી બાબતમાં નિર્ણય પર આવી જવાની બાળ, મનીષી અને મધ્યમબુદ્ધિની પદ્ધતિ ખાસ વિચારવા યોગ્ય છે. ત્રણે ઉત્ક્રાન્તિના જૂદા જૂદા અંશેપર છે. બાળ વગરવિચારે ઝુકાવે છે; મનીષી વિચક્ષણપણે નિર્ણય કરે છે; મધ્યમબુદ્ધિ વિશેષ પૃચ્છા અને અવલોકન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy