SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ તેવી દેવાળી વસ્તુને ત્યાગ કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય-સમય આવી પહોચે તે વખતે પણ જે પ્રાણી મૂર્ખાઈને અંગે તેને ત્યાગ કરી દેતે નથી તો પછી પરિણુમે તેનો પિતાનેજ ક્ષય થાય છે એ બાબતમાં જરા પણ શંકા જેવું નથી; તેટલા માટે બુદ્ધિમાન પ્રાણુએ જે વસ્તુ એક વાર ગ્રહણ કરી હોય અને પછી તે તજવા યોગ્ય છે એમ માલુમ પડ્યું હોય તો તેણે તેના ત્યાગનો અવસર શોધ્યા કરે, એમાં સમજુ માણસની સમજણ રહેલી છે.” કર્મવિલાસનો નિર્ણય. બાળ વિલાસ-વૃથા ઉપદેશ. મનીષીની સલાહને અંગે વિચારણા કર્મવિલાસ રાજાએ પોતાની બન્ને રાણુઓ (શુભસુંદરી અને અકુશળમાળા) પાસેથી તે સર્વ હકીકત સાંભળી ત્યારે તે પોતાના મનમાં મનીષી ઉપર પ્રસન્ન થયા અને બાળ ઉપર ગુસ્સે થયો. હવે ત્યાર પછી બાળે તો કોમળ શય્યાઓ પર આરામ કરવો, સુંદર સ્ત્રીઓ સાથે સ્પર્શદ્રિય સંબંધી સુખ ભોગવવા વિગેરે વિગેરે જે જે બાબતો સ્પર્શનના પ્રદેશની હતી તે સર્વ વધારે વધારે આસક્ત થઈને બહુ બહુ પ્રકારે સેવવા માંડી અને રાત દિવસ તે જ કામમાં આસક્ત રહેવા લાગ્યો, રાજકુમારને યોગ્ય બીજા સર્વ વ્યાપાર છોડી દીધા, તે એટલે સુધી કે પિતાના દેવ અને ગુરુને પગે લાગવાને દરરોજનો નિયમ હતો તે પણ છોડી દીધો, અભ્યાસ કરવાનો નિયમ પણ છોડી દીધે, કુળમર્યાદા ઓળંગવા માંડી, જાનવરને ગ્ય પશુધર્મને સ્વીકાર કર્યો, આવા વર્તનને લઈને લોકો તેની નિંદા કરવા લાગ્યા તે બાબતની દરકાર પણ તેણે છોડી દીધી, પોતાના કુળને કલંક લાગે તેવું કઈ કાર્ય કરવું ન જોઈએ એ અત્યાર સુધી વિચાર રહેલે હવે તે વિચાર પણ છોડી દીધે, પિતે બીજા પ્રાણીઓને હસવાનું–ઠઠ્ઠામશ્કરીનું સાધન થતો હતો તે વાત તેના જાણવામાં પણ આવી નહિ, પોતાના હિત કરનાર પક્ષ તરફ પણ તેણે તિરસ્કાર બતાવવા માંડયો અને કઈ સાચો ઉપદેશ આપે તો તે ગ્રહણ કરવાનું પણ છેડી દીધું, માત્ર જ્યાં જ્યાં નારી(સ્ત્રી)સંગ, કેમળ આસન કે બીજું કાંઈ પણ સ્પર્શનને સુખ ઉપજાવે તેવું હોય તેને પ્રાપ્ત કરવાના અને ભેગવવાના કામમાં તે લાગી જતો અને પછી તેના ઉપ ૧ હિત કરનાર પક્ષ મેક્ષમાર્ગ અનુસરતા લોકે અથવા મોક્ષમાર્ગને અનુ સરતાં અનુષ્ઠાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy