SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૩ બધે ધાક લાગે છે કે હું તેનું નામ પણ હજુ સુધી બેલી શકતો નથી. વળી મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે તે મહાપાપી માણસ છે તેથી એનું નામ લેવાનું શું કામ છે? પાપી માણસની કથા કરવાથી પાપ વૃદ્ધિ પામે છે, આબરૂને દૂષણ લાગે છે, લધુતા પ્રાપ્ત થાય છે, મનમાં ઉલટા સુલટા વિચારો આવે છે અને ધર્મબુદ્ધિનો ક્ષય થાય છે.” મનીષી—“તારી વાત તો ખરી છે, પણ મને તેનું નામ સાંભળવાનું મોટું કૌતુક થયું છે; વળી જ્યાં સુધી હું તારી પાસે છું ત્યાં સુધી તારે એ અનુચરને કે બીજા કેઈને ભય રાખવાનું જરા પણ કારણ નથી. વળી માત્ર કેઇનું નામ દેવામાં જ કાંઈ પાપ લાગતું નથી. અગ્નિ” એટલે શબ્દ બોલવાથી કાંઈ મ્હોંમાં દાહ-બળતરા થતી નથી, માટે તેનું નામ તું મને જરૂર જણાવ.” મનીષીને આટલે સખ્ત આગ્રહ જોઈને સ્પર્શને બીકથી દશે દિશાઓમાં ગભરાટમાં પડીને જોવા માંડ્યું અને પછી ધીમે સાદે કહ્યું “ભાઈ ! જે એમજ છે તે સાંભળ. એ પાપીનું નામ સંતોષ છે.” મનીષીને વિચાર પૂર્વક આત્મનિર્ણય. મનીષીએ હવે પિતાના મનમાં વિચાર કર્યો–ખરેખર! સ્પર્શનની મૂળશે જે પ્રભાવે કરી હતી તે બરાબર જણાય છે. સંતોષ સંબંધી હકીકત તેણે કરેલી શોધ સાથે બરાબર મળતી આવતી નહોતી તે પણ હવે બંધબેસતી આવી ગઈ. આ સ્પર્શનને પરિચય વધારે સારે નથી એમ પ્રથમથી જ મેં ધારણું કરી હતી તે બહુ સારું થયું, કારણ કે તેને વિષયાભિલાષ મંત્રીએ લેકેને છેતરવા માટેજ મોકલ્યો છે અને તે કામ કરવા સારૂ જ તે જ્યાં ત્યાં ફર્યા કરે છે. આ પ્રમાણે હોવાથી તે કઈ પણ રીતે સેબત કરવા યોગ્ય નથી એમ મનમાં નિશ્ચય થાય છે. એનાં લક્ષણજ સારાં જણાતાં નથી તે પણ એને અત્યાર સુધી મિત્ર તરીકે ગ્રહણ કરીને તેના ઉપર મેં બહારથી–ઉપર ઉપરથી સેહભાવ બતાવ્યું છે અને તેની સાથે ઘણો કાળ ક્રીડા પણ કરી છે તેથી તેને એકદમ વખતવગર છોડી દેવો એ તો યોગ્ય નહિ ગણાય; પણ હવે હું તેનું સ્વરૂપ બરાબર જાણી ગયો છું તેથી મારે તેને બહુ વિશ્વાસ તો કરવો જ નહિ, તેની અનુકૂળતા પ્રમાણે સર્વ આચરણું કરવી નહિ, મારું આત્મસ્વરૂપ તેને સોંપી દેવું નહિ, મારી ખાનગી વાત તેને કહી દેવી નહિ, તેમજ તેને હું માત્ર ઉપર ઉપરથીજ ચાહું છું એ હકીકત પણ તેને જાણવા જેવી નહિ; કારણ કે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy