SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું. સ્પર્શનમૂળશુદ્ધિ. આ દિવસથી માંડીને બાળનો સ્પર્શન સાથે સ્નેહસંબંધ વધવા લાગ્યો. મનીષી તે આશ્ચર્ય પામીને સર્વ હકી કત જોયા કરે છે, પરંતુ સ્પર્શનને કઈ પણ પ્રકારે $ વિશ્વાસ કરતો નથી. પેલો સ્પર્શન પણ બન્ને રાજકુ મારોની પાસે ને પાસે રહેતો હોવાથી આખો વખત અંદર તેમજ બહાર તેઓનો પ છોડતો નથી, બન્ને રાજકુમાર સાથે જુદી જુદી જગાએ તે રખડે છે અને અનેક પ્રકારની કીડાઓ કરે છે. ત્યાર પછી એક વખત મનીષીએ પિતાના મનમાં વિચાર કર્યો કે આ સ્પર્શનના પ્રસંગથી તો ચિત્ત એક ઠેકાણે સ્થિર મનીષીની વિચા- રહેતું નથી તો પછી એનો પરિચય કરનારને જ્યાં રણ અને નિર્ણય. ત્યાં મન રખડ્યા કરે એમાં સુખ કેમ મળી શકે? એ ભાઈસાહેબનું (સ્પર્શનનું) ખરેખરૂં સ્વરૂપ શું છે? કેવું છે? તે પણ હજુ બરાબર સમજાતું નથી. જ્યાં સુધી આ બાબતનો પરમાર્થ સમજવામાં આવે નહિ ત્યાં સુધી એની સાથે પરિચય વધારવો કે ન વધારો એ બાબતનો નિર્ણય પણ થઈ શકતો નથી. માટે હવે તો એનું ખરેખરું મૂળ શું છે તેની (એ કેણુ છે? કોનો સંબંધી છે? ક્યાંનો છે? વિગેરે બાબતની) બરાબર શોધ કરવાની ખાસ જરૂર લાગે છે, અને એના સંબંધી બધી હકીકત જાણીને પછી ગ્ય લાગે તેમ તેના સંબંધમાં આચરણ કરવું ઘટે છે. આ પ્રમાણે પોતાના મનમાં મનીષીએ નિર્ણય કર્યો. ત્યાર પછી સ્પર્શનના મૂળની શોધ કરવા માટે પોતાના બોધ નામના અંગરક્ષકને ખાનગીમાં બેલાવ્યો અને તેને કહ્યું “ભદ્ર ! મને ૧ બધ-બોધ “ ઉપદેશ” છે. તેની પાસે વિવેચક બુદ્ધિથી સવાલ થાય ત્યારે તેનામાં પ્રભાવ-શક્તિ હોય તો તે સર્વ બાબતની શોધ કરી લાવે છે અને પૂછનારને સંતોષ આપે છે. તides de Camp-એડીકાંપ-અંગરક્ષક તરીકેનું બોધનું કાર્ય બરાબર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy