SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ર ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ પદ્મરાજા–“આર્ય! આપે બહુ સારું કહ્યું ! આપે જે આ છેવું વચન કહ્યું તેથી અમને–અમારા મનને જરા નિરાંત વળી છે. હવે અમારા મનની શાંતિનું કારણ આપે જણાવ્યું તે શું છે તે અમને કહો.” જિનમતજ્ઞ–“મહારાજ ! આ કુમારને પુણ્યદય નામનો એક મિત્ર છે તે પોતાનું રૂપ ગુપ્ત રાખીને રહે છે. એ પુણ્યોદય મિત્ર જ્યાં સુધી કુમારની બાજુમાં હશે ત્યાં સુધી પેલે પાપી મિત્ર વૈશ્વાનર કુમારને ગમે તેટલા અનાથો કરશે તે સર્વે ઉલટા કુમારના લાભનાં કારણું થાય એમ તે કરી દેશે.” આ હકીકત સાંભળી (સંસારીજીવ કહે છે કે, મારા પિતા કાંઈક શાંત થયા. સમયઘટ અને વિસર્જન, આ વખતે સૂર્ય આકાશના મધ્ય ભાગમાં આવ્યો હતો, એટલે શરણાઈ તથા નાબતો વાગવા માંડી અને છેવટે શંખ વાગ્યો. સમય જણાવનાર કાળ નિવેદકે કહ્યું “આ દુનિયામાં તેજની વૃદ્ધિ ક્રોધ કરવાથી નથી, પણ મધ્યસ્થ ભાવથી થાય છે એમ બતાવતો સૂર્ય મધ્યસ્થપણાને પામે. ( અર્થાત્ સવાર કરતાં બપોરે સૂર્યના તેજમાં વધારે થાય છે તેનું કારણ તેનું મધ્યસ્થાયીપણું છે; તે બતાવે છે કે ક્રોધ કરવાથી તેજ વૃદ્ધિ પામતું નથી પણ મધ્યસ્થ ભાવ-તટસ્થ ભાવ રાખવાથી પિતાનું તેજ વધે છે. આમ શિક્ષા આપવા સાથે કાળનિવેદકે જણાવ્યું કે મધ્યાહ્ન કાળ થઈ ગયે છે.) વિદુરને સંદેશે. તાતે જણાવ્યું કે મધ્યાહ્ન કાળ થયો છે તેથી હવે સર્વેએ ઉઠવું જોઈએ એમ કહી રાજાએ કળાચાર્યનું અને નિમિત્તિયાનું પૂજન કર્યું, તેઓને બહુ માન આપીને વિદાય કર્યા અને સભા બરખાસ્ત કરી. હવે મારા પિતાએ નિમિત્તિયાના વચનથી જાણ્યું હતું કે મારા સંબંધમાં કાંઈ પણ કરવું અને મને સુધારે એ તદ્દન અશક્ય અનુષ્ઠાન હતું, તોપણ પુત્રપરના એહના મેહને લીધે તેમણે વિદુરને આદેશ કર્યો “પેલા પાપી મિત્રની સબતથી કુમાર કાઈ પણ રીતે દૂર રહી શકશે કે નહિ એ સંબંધમાં તારે કુમારના અભિપ્રાયની પરીક્ષા કર્યા ૧. તેજઃ (૧) પ્રકાશ (૨) શક્તિ. ૨ મધ્યસ્થભાવઃ (૧) તટસ્થ ભાવ (૨) સૂર્ય પક્ષે આકાશની મધ્ય રેષાપરવચ્ચે આવવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy