SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ જણાયું કે આ રાજપુત્ર (હું-નંદિવર્ધન) તેના ઉપર પ્રીતિ કરે છે એટલે તુરતજ તે મારી નજીક નજીક આવવા લાગ્યું. તે જ્યારે તદ્દન મારી પાસે આવ્યો ત્યારે પ્રેમથી હું તેને ભેટ, મેં તેના ઉપર સેહભાવ પણ બતાવ્યો, એને પરિણામે અમારા વચ્ચે પ્રેમભાવ વધ્યો અને આખરે દોસ્તી જામી. ત્યારપછી તે અમારી દોસ્તી એટલી બધી વધી પડી કે હું ઘરમાં કે બહાર ક્યાં જાઉં ત્યાં તે મારે (વૈશ્વાનર) મિત્ર મારી સાથે આવતો હતો અને એક ક્ષણ પણ મને વીલો મૂકતો નહોતો. આવી રીતે વૈશ્વાનર સાથે મેં ભાઈબંધી કરવા માંડી તેથી પુણ્યોદય નામનો મારે મિત્ર જે મારી સાથે પુણ્યોદયને આ નગરીમાં આવ્યો હતો તે પોતાના મનમાં બહુ અંતર ખેદ. નારાજ થયો. તેને વિચાર થયો કે અહો ! આ વિશ્વાનર મારે શત્રુ છે, પરંતુ આ નંદિવર્ધન કુમાર ખરું સ્વરૂપ સમજ્યા વગર હું કે જે તેનામાં રત છું તેની દરકાર કરતો નથી અને સર્વ દોષોથી ભરેલા અને પરમાર્થથી તેના આભીય શત્રુ શ્વાનર સાથે પ્રીતિ કરે છે! વળી મને એમ પણ વિચાર થાય છે કે તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? અજ્ઞાની મૂર્ખ પ્રાણુઓ પાપમિત્રનું સ્વરૂપ જાણતા નથી, એવા મિત્રની સોબતનું પરિણામ કેવું ભયંકર આવશે તે સમજતા નથી, તેને સંગ દૂર કરવાનો ઉપદેશ આપનારની વાતને યોગ્ય આવકાર આપતા નથી, તે પાપમિત્રની ખાતર બીજા મિત્રોને પણ તજી દે છે, તેવા મિત્રની સંગતને વશ પડી ખોટે ભાગે ઉતરી જાય છે, દોડાદોડ કરતાં આંધળાએ ભીંત સાથે અફળાવાથી પાછા હઠે છે તેવી જ રીતે આવા પ્રકારની કસંગત કરનાર પ્રાણીઓને જ્યારે સખ્ત ફટકે પડે છે ત્યારેજ તેઓ કુમાર્ગથી પાછા હઠે છે, પણ અન્ય પ્રાણીઓ તેમને એવી સેબતથી દૂર રહેવાને ઉપદેશ આપે છે ત્યારે તેઓ તેને અનુસરતા નથી. આ નંદિવર્ધન કુમાર આવા પાપી મિત્રની સાથે સોબત કરે છે તેથી તે પણ મૂખેજ જણાય છે. હું અત્યારે એ પાપી મિત્રની સોબત નહિ કરવા માટે તેને સમજાવીશ તોપણ તેથી શું વળવાનું છે? ભવિતવ્યતાએ મને એના સહચારી તરીકે રહેવાનું કહ્યું છે અને વળી તે નંદિવર્ધન કુમાર અગાઉ હાથી હતા ત્યારે તેને બહુ વેદના થઈ તે પણ તે મધ્યસ્થ ભાવ અને સમતા રાખીને નિશ્ચળ રહ્યો હતો તે વખતે તેણે મારા મન ઉપર મોટી અસર કરી હતી ૧ જુએ અગાઉ પૃષ્ઠ ૩૨૭ ૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy