SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧] નંદિવર્ધન અને વૈશ્વાનર. ३४७ હતું, અંતસ્તાપ નામની ઘણી સાંકડી છાતી હતી, આડા અવળા જાડા પાતળા ખાર અને મત્સર નામના બે હાથથી તે શોભતો હતો, વાંકી ચુકી લાંબી કૂરતા નામની ડેકથી તે જોડાયેલો હતો, હોઠની બહાર નીકળી પડેલા અને છૂટા છૂટા મોટા અસભ્યભાષણરૂપ દાંતિથી તેને અનેક પ્રકારની અડચણ થતી હતી, તેને ઉંદરના રૂપને ધારણ કરનાર ચંડત્વ અને અસહનત્વ” નામના બે કાનો હતા, તેને તામસસભાવ નામની નાસિકા હતી જે અત્યંત બેસી ગયેલી (ચીબી) હતી અને માત્ર એ ઠેકાણે એક નિશાનીરૂપેજ બાકી રહેલી હતી તેનાથી તે મશ્કરી કરવાનું પાત્ર થઈ પડ્યો હતો, તેને રદ્ધત્વ" અને નૃશંસત્વ નામની બે ગોળ મટોળ આંખ હતી અને તે એટલી બધી લાલ હતી કે તેને લીધે તે ચોઠી જેવી લાગતી હતી, એ આંખોને લીધે તેનું રૂપ ઘણું ભયંકર લાગતું હતું. અનાર્યઆચરણ” નામનું ત્રણ ખૂણુંવાળું તેને મોટું માથું હતું, જેનાથી તેને અનેક પ્રકારનાં નાટકો કરવા પડતાં હતાં અને અગ્નિના ભડકા જેવા દેખાતા પરેપતાપ નામના ઘણું પીળા બાલના (મવાળાના) ગુચ્છાથી તે પોતાનું વિધાનર નામ યથાર્થ કરી બતાવતો હતો. આવા પ્રકારના વિશ્વાનર નામના બ્રાહ્મણપુત્રનો મારી સાથે જ જન્મ થયે. વેશ્વાનર નંદિવર્ધનની મેત્રી. અનાદિ કાળના પરિચયને લીધે મારે તે વિશ્વાનર ઉપર સેહ થયો. તે મારો સાચો મિત્ર છે એમ ધારીને મેં તેને ગ્રહણ કર્યો, પરંતુ પરમાથેથી તે મારે ખરેખર શત્રુ છે એ હકીકત તે વખતે મારા રસમજ વામાં આવી નહિ. એ મારે અંતરંગનો સગે છે અને અવિવેકિતા નામની મારી ધાવમાતાને પુત્ર છે એમ ધારીને તે મારા માટે હિત કરનાર છે એ ચોક્કસ નિર્ણય મારા મનમાં તે વખતે થયો. મારા માનમાં આવા પ્રકારનો નિર્ણય થયો હતો તે વૈશ્વાનરે જોઈ લીધો. તેને ૧ અંતસ્તા૫ર શરીરમાં બળતરા-દાહ ચાલે, મન બળી જાય તે સ્થિતિ, ૨ અસભ્યભાષણઃ ગૃહસ્થને ન છાજે તેવા વચને બોલવાં તે. ૩ ચંડત્વઃ બહુ આકરી પ્રકૃતિ. ૪ અસહનઃ અન્યનું બોલેલું કે કરેલું ન ખમી ખાવાની ટેવ. ૫ રૌદ્ધત્વઃ ભયંકરપણું. ૬ નુરસત્વરપણું ૭ અનાર્યઆચરણ આર્ય પુરુષને યોગ્ય નહિ એવા પ્રકારનું વર્તન. ૮ ૫૫તા૫: પારકાને-અન્યને પીડા ઉપજાવવી તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy