SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ ] પંચાક્ષપશુસંસ્થાને. ૩૨૫ · અસંગી'ના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેએ સંમૂહિઁમ હાય છે. હું ગોળીના પ્રભાવથી સ્પષ્ટ ચૈતન્ય વગરના ( સંમર્દામ ) પંચાક્ષના નામથી આળખાતા ત્યાં ઉત્પન્ન થયા. ત્યાં મારી સ્ત્રી જેને રમત ગમતને બહુ શોખ છે તેણે મને વિના કારણ આખો વખત રાડો પાડતા દેડકાના આકાર ધારણ કરનારો બનાવ્યા. આવી રીતે અસંખ્ય કાળ સુધી જૂદા જૂદા આકારમાં સંમૂર્છાિમ તરીકે રખડાવીને પછી મને ગર્ભજના આકાર ધારણ કરનારા બનાવવામાં આવ્યા. આ ગર્ભજ પાંચ ઇંદ્રિયયાળા પ્રાણીઓમાં પણ પ્રથમ મને જળચર બનાવવામાં આણ્યે. ત્યાં પણ જ્યારે મને મત્સ્ય ( માછલા )નું રૂપ આપવામાં આવ્યું ત્યારે માછીમારે મને પકડવા લાગ્યા અને કાપીને તથા રાંધીને મને હાર પ્રકારનાં દુઃખ આપવા લાગ્યા. ત્યારપછી પાંચ ઇંદ્રિયવાળા પ્રાણીઓમાં ચાર પગવાળા સ્થળચરનું રૂપ મને આપવામાં આવ્યું. ત્યાં વળી મને સસલાં, ડુક્કર, હરણ વિગેરેના વેશ આપવામાં આવ્યો અને તે વખતે શિકારીએ તીર મારીને મારા ગાત્રના કટકે કટકા કરી નાખતા અને એ રીતે મને અનેક પ્રકારની પીડા થતી હતી. વળી એ સ્થળચરમાં રહેતા કોઇ વખત મને ભુજપરિસર્પ અને ૪૯૨:પરિસર્પનું રૂપ આપવામાં આવ્યું. ઘે, સર્પ, નકુળ ( નાળીઆ ) વિગેરે ાતમાં ઘણા વખત રહેતાં ક્રૂરપણાને લીધે એક બીજાનું ભક્ષણ કરવાથી મારે ત્યાં પણ બહુ દુઃખ સહન કરવું પડ્યું. વળી કોઇવાર મને ખેચરનું રૂપ આપવામાં આવ્યું. ત્યાં કાગડા, ઘુવડ વિગેરેનું રૂપ ધારણ કરતાં મેં અનેક પ્રકારનાં અસંખ્ય દુ:ખે. સહન કર્યાં. અસંખ્ય પ્રાણીઓથી ભરેલા તે પંચાક્ષપશુસંસ્થાન નગરના દરેક કુળમાં હું જળચર, સ્થળચર અને ખેચરરૂપે થયા. આ નગરમાં મારી ભાર્યાં મારી પાસે સાત આઠ વાર ઉપરા ઉપર નવાં નવાં રૂપેા ધા સંમૂÉિમઃ ગર્ભજ. જળચર: સ્થળચર: ખેચર. ૧ અસનીઃ અહીં સંજ્ઞા એટલે મન સમજવું. મન વગરના પ્રાણીને ‘અસંજ્ઞી કહે છે. બાકી આહાર વિગેરે ચાર અથવા દેશ સંજ્ઞા તા સર્વ જીવેાને હાય છે. ૨ સંમૂર્ણિમઃ અગાઉ કહ્યું તેમ ગર્ભ વગર ઉત્પન્ન થયેલાને સંમૂર્ણિમ અથવા અસન્ની કહે છે, તેને મન હેતું નથી. ૩ ભુજરિસર્પ: હાથથી ચાલનારા સ્થળચરઃ નાળીયા વિગેરે. ૪ ઉર:પરિસર્પ પેટથી ચાલનારા સ્થળચરેઃ સર્પ વિગેરે, ૫ ગમનાગમનઃ પંચદ્રિય તેજ ગતિમાં સાત આઠ ભવ એક સાથે કરે, હારપછી અન્ય ગતિમાં જઇ આવી વળી પાછા સાત આઠ ભવ તે ગતિમાં કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy