SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ-૨ આવ્યા અને બાળવામાં આવ્યો. તેવી રીતે એ પાયામાં મેં મહા ભયંકર દુઃખ સહન કર્યા. ત્રીજો પાડા-અપકાય, એ પ્રમાણે પાર્થિવ લેકમાં રહેતાં રહેતાં જ્યારે છેલ્લી ગોળી જીર્ણ થઈ ગઈ ત્યારે ભવિતવ્યતાએ મને એક નવી ગોળી આપી. એ ગળીના પ્રભાવથી હું એકાક્ષનિવાસ નગરના ત્રીજા પાડામાં ગયો. ત્યાં આખ્ય નામના કુટુંબીઓ વસે છે. હું ત્યાં ગયે એટલે પાર્થિવરૂપ મૂકીને મારું પણ આય રૂપ થઈ ગયું. અહીં પણ જ્યારે જ્યારે એક ગોળી જીર્ણ થાય ત્યારે ત્યારે બીજી ગોળી આપીને ભવિતવ્યતા મારું રૂપ ફેરવી નાખતી. એ પ્રમાણે કરતાં કરતાં અસંખ્યાતા કાળ સુધી મને ત્યાં દુઃખ આપવામાં આવ્યું. મારાં રૂ૫ રસ ગંધ અને સ્પર્શમાં ફેરફાર કરીને મને કઈવાર ધુમ્મસ, કેઇવાર હિમ, કેઈવાર મહિકા, કેહવાર હરતનું અને કઇવાર નિર્મળ પાણીનું રૂપ આપવામાં આવ્યું. આવી રીતે મારી પાસે વિચિત્ર પ્રકારની આકૃતિઓ ધારણ કરાવવામાં આવી. આ પાડામાં રહ્યા રહ્યા મેં ગરમી અને ઠંડી તથા ક્ષાર અને ક્ષત્ર વિગેરેથી થતી તેમજ અનેક પ્રકારનાં શસ્ત્રોથી થતી વેદનાઓ સહન કરી. ચેાથે પાડા-તેજસ્કાય, આ કુટુંબીઓમાં વસતાં વસતાં જ્યારે છેલ્લી ગોળી જીર્ણ થઈ ગઈ ત્યારે ભવિતવ્યતાએ મને એક બીજી ગોળી આપી. એ ગોળીના જોરથી એકાક્ષનિવાસ નગરના ચોથા પાડામાં હું પહોંચી ગયો. એ પાડામાં તેજસ્કાય' નામના અસંખ્ય બ્રાહ્મણે વસે છે. હું પણ તેજ ૧ અકાય પાણી, ઝાકળ, બરફ, કરા વિગેરેને આ અપકાય એકેન્દ્રિયમાં સમાવેશ થાય છે. ૨ મહિકા આકાશમાં વાદળાંને યોગે ઝીણાં પાણીનાં ટીપાં પડે છે તેને ધુમસનું પાણી કહે છે. ક હરતનુ વનસ્પતિનાં પત્રો પર ટપકતા ને ચોટેલા પાણીનાં બિંદુઓ. ૪ ક્ષાર સત્ર-ક્ષારની પીડા તે મીઠા પાણીને ખારા પાણીના સંબંધથી ઉપઘાત થાય છે. ક્ષત્રવેદના એટલે પાણીને ખણવાથી થતી વેદના. પાણુને ડાળવાથી છાને ઘણે આઘાત શસ્ત્રના મારવા જેવો લાગે છે. અથવા ક્ષત્ર એટલે ખાતર-ખાતર ઉપર પાણું નાખવાથી સર્વ જીવો મરી જાય છે. પાણી અચિત્ત થઇ જાય છે. - ૫ તેઉકાય-અગ્નિ. સ્થાવર એકેદ્રિયને આ એક ભેદ છે. તેમાં સર્વ ઉપકાચ નો સમાવેશ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy