SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા [ પ્રસ્તાવ-૨ આવશે. એનું કારણ એ છે કે જેવી રીતે તે અસંવ્યવહાર નગરમાં ગળક નામના પ્રાસાદમાં આવી રહેલા નિગદ નામના અસંખ્ય એરડાઓ હતા અને તેમાં જેમ અનંત જી પિંડીભૂત થઈને સેહસંબંધથી હળી મળીને રહેતા હતા, તેવી જ રીતે આ પાડામાં પણ જીવ તેજ પ્રકારે વસે છે. ફેર માત્ર એટલેજ છે કે અસંવ્યવહાર નગરના લેકે લેક સંબંધી કઈ પણ પ્રકારના વ્યવહારમાં પડતા નથી, તેથી તેઓને અસંવ્યવહારી” અથવા “ અવ્યવહારીઆ કહેવામાં આવે છે, તેઓ ભગવતી લેકસ્થિતિના હુકમથી તારી પેઠે કવચિતજ અન્ય સ્થાનકે જાય છે, વારંવાર જતા નથી અને આ પાડાના લેકે તે વ્યવહારમાં આવે છે, એક સ્થાનકેથી બીજે સ્થાનકે વારંવાર જવું આવવું કરે છે અને તેટલા માટે તેને “વ્યવહારીઆ” કહેવામાં આવે છે. વળી તે અસંવ્યવહાર નગરમાં રહેનાર લોકેનું “અનાદિવનસ્પતિ એવું સામાન્ય નામ આપવામાં આવેલું છે અને આ પાડામાં રહેનાર લોકેનું “ વનસ્પતિ ” એવું નામ આપવામાં આવેલું છે એટલો તફાવત છે. વળી અહીં કેટલાક પ્રત્યચારીઓ પણ રહે છે જેઓ ગળકરૂપ પ્રાસાદ અને નિદરૂપ ઓરડાઓની ગેઠવણ વગરના છે, તેઓ દરેક છૂટા છૂટા ઘરમાં રહેનાર છે અને એવા પણ આ એકાક્ષનિવાસ નગરમાં અસંખ્ય જ છે. આ પ્રમાણે હોવાથી તું અહીંજ રહે, તને અગાઉ અસંવ્યવહાર નગરને પરિચય હતો સાધારણ તેના જેવો જ આ (સાધારણ વનસ્પતિ) પાડે છે વનસ્પતિ. તેથી તેને અહીં ઠીક પડશે.” આ પ્રમાણે સાંભ ળીને “જેવી પ્રભુની આજ્ઞા” એટલા શબ્દોજ માત્ર હું બોલ્યો. ત્યારપછી મને એક ઓરડામાં મૂકવામાં આવ્યું. મારી સાથે જે બીજા લોકોને પણ લાવવામાં આવ્યા હતા તેમાંથી કેટલાકને તે એજ પાડામાં સ્થાપવામાં આવ્યા, કેટલાકને મોકળા (છૂટા) ફરનારા ૧ સ્થાન ભેદ કરી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી આગળ ચાલે છે. બાદર નિગોદમાં આવે છે ત્યારે વ્યવહારીઆ કહેવાય છે. ૨ અહીં પ્રથમ “સાધારણ વનસ્પતિનું લક્ષણ બતાવ્યું છે. સાધારણ વનસ્પતિમાં અનંત જીવોનું એક શરીર હોય છે, પણ તે શરીર બદાર હોય છે. ત્યારપછી વનસ્પતિ શબ્દથી વ્યાખ્યા કરેલ હોવાથી તેમાં પ્રત્યેક વનસ્પતિને પણ સમાવેશ કર્યો છે. એક શરીરમાં એક જીવ હોય તેને “પ્રત્યેક વનસ્પતિ’ કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy