SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ–ર ખાખતના ઉદ્વેગ વારંવાર મનમાં થયા કરે છે-જ્યારે ઇંદ્ર અને ચક્રીની આવા પ્રકારની દશા થાય છે તેા પછી સામાન્ય પ્રાણીઓના સંબંધમાં તે શી વાત કરવી ! તે દેવી પણ એવી સખત છે કે તેને પાતાને ગમે તેજ તે કરે છે, બીજો કાઇ પ્રાણી તેની પ્રાર્થના કરે, તેની પાસે રડવા બેસે કે તેને રીઝવવાના ઉપાયેા કરે તે કાઇની તે દરકાર કરતી નથી. હું પોતે પણ તેનાથી એટલો બધો ભય ધરાવું છું કે તે દેવી યથેચ્છપણે જે કરે તે બહુ સારૂં છે એમ મારે માનવું પડે છે અને જો કે હું તેના પતિ છું તેપણ જાણે તેના નાકર હાઉં તેવી રીતે ‘ જય દેવી, જય દેવી ’ એમ ખેલતા ખેલતા તેની પાસે બેસું છું. તે દેવીનું વિશેષ સ્વરૂપ આ પ્રમાણે છે:' તે મારી ભાર્યાં ભવિતવ્યતા સર્વ જગે પર ઉદ્યોગમાં મચી રહેલી છે, અમુક ભુવનના લોકોને અમુક અમુક વસ્તુઆ ઉચિત છે અને અમુક અમુક વસ્તુઓ ઉચિત નથી તે સર્વ તે જાણે છે, જે પ્રાણીઓ ઉંઘી ગયા હોય તેના સંબંધમાં પણ તે જાગતી રહે છે, તે સર્વ પ્રાણી અને વસ્તુઓનું પ્રથકરણ કરી આપે છે, જાણે કે ગંધહસ્તિની હોય તેમ તે આ આખી દુનિયા પર જરાપણ આકુળતા વગર વિચરે છે અને કાઇથી જરા પણ ખાતી નથી, કર્મપરિણામ મહારાજા પણ તેને બહુ માન આપે છે, તેની પૂજા કરે છે, કારણ કે જરૂર પડ્યે કાંઇ કામ હાય ત્યારે તે મહારાજાને પણ તેની પછવાડે જવું પડે છે, તેને અનુકૂળ કરવી પડે છે, આ ઉપરાંત બીજા પણ મહાભાએ પેાતાનું કામ કરવાની ઇચ્છા રાખતા હૈાય છે ત્યારે તે ભવિતવ્રતાથીજ અનુકૂળતા પામે છે. આટલા માટે કહેવાય છે કે:बुद्धिरुत्पद्यते या व्यवसायश्च तादृशः, सहायास्तादृशाश्चैव यादृशी भवितव्यता । ભચિંતન્યતાને આકરા દાર. જેવી ભવિતવ્યતા હેાય છે તેવીજ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, કામ પણ તેવુંજ મુજે છે અને મદદ પણ તેવાજ પ્રકારની મળે છે. સંસારીજીવ અગૃહીતસંકેતાને કહે છે-મારી રાણી ભવિતવ્યતામાં આટલા ગુણા છે, એ સર્વ હકીકત અત્યંતઅબેધ સેનાપતિ સારી રીતે જાણતા હતા. Jain Education International ૧ સંસારીજીવ અગૃહીતસંકેતા પાસે પેાતાની સ્ત્રાનું સ્વરૂપ વર્ણવે છે. ૨ ઉત્તમ નતિની હાથણી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy