SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ–૭ ] અસંખ્યવહાર નગરે. ૩૦૯ મદદની દરકાર પણ કરતી નથી, અમુક ભાવ પુરુષને (પેાતાના ભરતારને) અનુકૂળ છે કે પ્રતિકૂળ છે તેના વિચાર કરતી નથી, અવસર જોતી નથી, પ્રાણીને માથે બીજી આપત્તિ આવી પડેલી હોય છે તેની ગણના કરતી નથી; બુદ્ધિના વૈભવમાં કાઇ બૃહસ્પતિ જેવા હોય તે પણ તેને રોકી શકતા નથી, તેનું નિવારણ કરી શકતા નથી; પરાક્રમની ખાખતમાં સર્વ દેવાના રાજા ઈંદ્ર પણ તેને પહોંચી શકતા નથી અને યાગીએ પણ તેની સામે થવાના ઉપાય મેળવી શકતા નથી; તદ્દન ન બની શકે તેવી ખામત લાગતી હાય તેને પણુ તે મહાદેવી પેાતાના હાથની રમત હોય તેવી રીતે એક સપાટામાં ગ્રહણ કરીને શક્ય બનાવે છે, સર્વ લેાકામાંથી જે પ્રાણીનું પ્રયાજન જ્યારે, જ્યાં, જેવી રીતે અને જ્યાંસુધી કરવાનું હાય છે તેને લક્ષમાં લઇ વિચારી તે પ્રત્યેક પ્રયાજનને તે તે પ્રાણીના સંબંધમાં તે વખતે, તે જગાએ, તે પ્રકારે અને ત્યાંસુધી અમલમાં મૂકે છે અને તેમ કરવામાં ત્રણ લોકમાં કાઇથી પણ તેનું નિવારણ થઇ શકતું નથીઃ મતલખ કે અમુક કાર્ય અમુક પ્રાણીના સંબંધમાં ક્યારે કરવું, કેટલા વખત સુધી કરવું, કઇ જગા પર કરવું, કાના સંબંધમાં રાખીને કરવું અને કેવી રીતે કરવું એ સર્વ મમતની ચાવી મારી પત્ની ભવિતવ્યતાના હાથમાં છે અને તેને કોઇ અટકાવી શકતું નથી, કારણ કે દેવતાના અધિપતિ ઇંદ્ર કે મનુષ્યાના મેાટા રાજા ચક્રવર્તીને પણ કહેવામાં આવે કે ‘તમારે ભવિતવ્યતા અનુકૂળ છે' ત્યારે તે પણ હૃદયમાં રાજી થાય છે, મોઢેથી આનંદ બતાવે છે, આંખા વિકસ્વર કરે છે, એ પ્રમાણે કહેનારને ઇનામ આપે છે, પેાતાની જાતને માટી માને છે, મહેાત્સવ કરાવે છે, આનંદુભિ વગડાવે છે, આત્માનું કૃતકૃત્યપણું વિચારે છે અને પેાતાનેા જન્મ સફળ માને છે; જ્યારે ઇંદ્ર અને ચક્રવર્તીને આ પ્રમાણે થાય છે તેા પછી બીજા સામાન્ય લોકેાની વાત તા શી કરવી ? જ્યારે એજ ઇંદ્ર કે ચક્રીને કહેવામાં આવે કે તમારા ઉપર અત્યારે ભવિતવ્યતા અનુકૂળ નથી’ ત્યારે તેઓ ભયથી થરથર ધ્રુજવા મંડી જાય છે, દીનતા બતાવે છે, ક્ષણવારમાં સુખ યામ કરી નાખે છે, આંખો મીંચી જાય છે, કહેનારના ઉપર ગુસ્સે થઇ જાય છે, ચિંતાથી લેવાઇ જાય છે, શ્રીકરથી સુકાઇ જાય છે, બહુ શાકમાં પડી જઇ પાતાનાં કર્તવ્યા પણ ચૂકી જાય છે અને તેને પ્રસન્ન કરવા માટે શું શું ઉપાયો યાજવા તેને વિચાર કરવા મંડી જાય છે; ટુંકામાં ૩હીએ તે તે ભગવતી ( ભવિતવ્યતા ) રૂઢી હેાય ત્યારે એક વાર પણ ચિત્તની શાંતિ તેને મળતી નથી અને કઇ રીતે તે સીધી થાય એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy