SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૭ ] અસંવ્યવહાર નગરે. ૩૦૭ વીશ, પણ મારે આપને એક બીજી પણ હકીક્ત કહેવાની છે અને તે એ છે કે મહાદેવી લેકસ્થિતિએ મને ખાસ આજ્ઞા કરી છે કે તેને હુકમ અમલમાં મૂકવાને અંગે મારે જરા પણ વિલંબ ન કરે, જરા પણુ વખત ખોયા વગર તુરતજ તેણીને હુકમ અમલમાં મૂકો. તેટલા માટે તેણે જે હુકમ કર્યો છે તે બાબત આપ જલદી અમલમાં મૂકવાની ગોઠવણ કરો.” આ પ્રમાણે વાતચીત કરીને દેવડી (બહારના દરવાજા) પાસે તીવ્રમેહદય અને અત્યંત અબોધ બેઠા. તીવ્રમેહદય-વારૂ! ત્યારે હવે અહીંથી બહાર મેકલવા ગ્ય કયા જીવો છે ? ” અત્યંતઅધિ-“આર્ય ! આ બાબતમાં આપણે બહુ વિચાર કરવાની શી જરૂર છે? આપણું નગરના સર્વ કેને જનારાઓ આ હકીકત જાહેર કરે, એ બાબતનો પડહો વગસંબંધી વિચાર. ડા, ડાંડી ટીપા, ઘોષણું કરાવો કે “ભગવાન્ કર્મ પરિણામ મહારાજાના હુકમથી કેટલાક લેકેને અબેથી તેમની રાજધાની તરફ જવાનું છે, માટે જેઓને ત્યાં જવાની હોંશ થાય તેઓ પોતાની મેળે તૈયાર થાઓ.” જે જગોએ એ જીવોને જવાનું છે તે સ્થાન વધારે અનુકૂળ હોવાને લીધે અને હાલ જ્યાં તેઓ રહે છે ત્યાં તો તેઓ ભીડમાં સંકડાઈ ગયેલા હોવાને લીધે ઘણું લકે ત્યાં જવાને પોતાની મેળે તૈયાર થઈ જશે. ત્યારપછી કેટલા માણસને ત્યાં લઈ જવાના છે તેની સંખ્યા તબ્રિગને ખાસ પૂછીને એ પ્રાણીઓમાંથી જેઓ આપણને પસંદ આવશે તેવાને તન્નિયોગે બતાવેલી સંખ્યા જેટલા ત્યાં મોકલી આપશું.” તીવ્રમેહદય-“ભાઈ ! તું પોતે પહેરેલી કે પહેરવાની વસ્તુએની વહેંચણું પણ જાણતો નથી. આ લેકએ બીજું સ્થાન જ જોયું નથી તેથી તેના સ્થાનનું સ્વરૂપ તેઓ જાણતા નથી, તે પછી ત્યાં અનુકૂળતા પ્રતિકૂળતા શું છે તે તે તેઓ ક્યાંથી જ જાણે ! અનાદિ કાળથી તેઓ અહીં વસે છે અને અહીં વસવામાં અબોધને તેઓને મજા આવે છે. વળી અનાદિ કાળથી તેઓને અબોધ. અરસ્પરસ એહ પણ એ જામી ગયો છે કે એક બીજાને વિયોગ તેઓ ઈચ્છતા નથી. જે, ભાઈ ! ૧ તું જાતે અબાધ એટલે પોતે પહેરેલાં કપડાં ઘરેણાંની વહેંચણ (ગોઠવણ) પણ જાણતા નથી. અમુક કપડું કયાં પહેરાય, બંધબેસતું છે કે નહિ, અમુક ઘરેણું શા ઉપયોગનું છે તેની ગોઠવણ તો સમજુ માણસ જાણે. હું તો તારા ઘરના માણસની વ્યવસ્થા પણ જાણતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy