SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] સદાગમપરિચય. ૨૯૧ “ પ્રાપ્ત કરાવીને સર્વથા છેદી નાખે છે; પેાતાના ભક્ત જનાને અક્ષય “ અને અવ્યય સર્વોત્તમપણું પ્રાપ્ત કરાવીને ઊંચા નીચા ગાત્રવતૅ થતી “ પીડાઓને તેજ મહાત્મા કાપી નાખે છે; એજ મહાત્મા દાન લાભ “ વિગેરે અનેક શક્તિ આપવાનું કારણ છે અને તેજ મહાત્મા મહાવીર્ય ' (શક્તિ )ના યાગ કરી આપવાના કારણભૂત છે. જે અધમ અને “ ભાગ્યહીન પુરુષા બહુ પાપી હોય છે તેઓને આ સદાગમ મહાત્માના “ નામ માટે પણ ઘણું માન હોતું નથી અને તેવા પ્રાણીઓને ઉપર “ જણાવવામાં આવી છે તે સર્વ કર્થના કર્મપરિણામ રાજા કરે છે “ અને તે પ્રાણીઓ પાસે સંસારનાટક ભજવાવે છે. જે પ્રાણીઓનું “ થોડા વખતમાં કલ્યાણ થવાનું હાય છે તેવા પુણ્યશાળી ઉત્તમ પુરુષા ፡፡ અહુ આદરપૂર્વક સદાગમનું કહેવું માન્ય કરે છે અને તેના હુકમને “ તાબે રહે છે, તેથી તેઓ અનેક પ્રકારની પીડા આપનાર કર્મપરિ፡ ણામ રાજાની જરા પણ દરકાર નહિ કરતાં તેનું અપમાન કરી સંસાર“ નાટકથી મુક્ત થઇ નિવૃત્તિ નગરીમાં જાય છે અને ત્યાં લહેર કરે છે. “ કદિ તેઓ આ કર્મપરિણામ મહારાજાના તાબાના પ્રદેશમાં રહે તેાપણ કોઇ પણ પ્રકારની ચિંતા રહિત થઇને સદાગમની કૃપાથી કર્મ“ પરિણામ રાજાને તૃણુ જેવા તુચ્છ ગણે છે અને તેની લગાર માત્ર પણ દરકાર કરતા નથી. આ સંબંધમાં વધારે શું વર્ણન કરવું ? આ દુનિયામાં કે અન્યત્ર એવી કોઇ પણ સુંદર વસ્તુ નથી કે જે આ સદાગમ મહાત્મામાં ભક્તિવાળા પ્રાણીઓને પ્રાપ્ત થઇ શકે તેમ ન હાય. આવી રીતે હે સિખ ! મેં તારી પાસે એ સદાગમ મહાત્માનું સંક્ષેપમાં સાધારણ રીતે વર્ણન કરી બતાવ્યું, બાકી વિશેષ પ્રકારે “ સર્વથા તેા તેના ગુણેાનું વર્ણન કરવાને કોઇ સમર્થ થાય તેમ નથી.” પ્રજ્ઞાવિશાલાએ કહેલી આ લંબાણુ હકીકત સાંભળી ત્યારે અ ፡ ' * ઃઃ ર ૧ સાતમા ગાત્ર કર્મના ઉદયથી નાશથી ઉક્ત વિશેષણ પ્રાપ્ત થાય છે. કાંઇ ઘટાડા તથી. પ્રાણી હલકા કે ઊંચા કહેવાય છે, એ કર્મના અક્ષય-જેને ક્ષય થતા નથી. અવ્યયજેમાં ૨ આઠમા અંતરાય કર્મના ક્ષયથી દાન લાભ ભાગ ઉપભાગ અને વીર્ય પર જે અંતરાયઆવરણ પડેલ હોય છે તેને નાશ થતાં આત્માની અનંત શક્તિ પ્ર ગટ થાય છે. ૩ સદાગમ પ્રાપ્ત થયા પછી અને મેક્ષ જવા પહેલાં કેટલાક કાળ આ સંસારમાં પ્રાણી રહે તે વખતે પણ કર્યો તેને વિડંબના કરી શકતાં નથી અને કદાચ પૂર્વનાં રહી ગયાં હેાય અને કાંઇ ઉપાધિ કરે તેા તેની અસર થતી નથી. કર્મના ઉદય વખતે તેની સામે જોરથી ઊભા રહેવાની શક્તિ પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy