SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪] અગ્રહીતસંકેતા અને પ્રણાવિશાલા. ૨૭૭ અગ્રહીતસંકેતા–“જે તેઓ આખી દુનિયાનાં માબાપ છે, છતાં પણ દુર્જન પ્રાણુઓની નજર તેના ઉપર પડવાના ભયથી અવિવેક વિગેરે મંત્રીઓએ તે રાજાને બીજ વગરના અને રાણીને વંધ્યા તરીકે પ્રસિદ્ધ કરી છે તો પછી આ ભવ્યપુરુષને આવડા મોટા મહોત્સવપૂર્વક શામાટે તેઓના પુત્ર તરીકે જાહેર કરવામાં આવ્યો છે તેનું કારણે તું મને સમજાવ.” પ્રજ્ઞાવિશાલા “આ ભવ્યપુરુષને મહારાજા અને દેવીના પુત્ર તરીકે જાહેર કરવાનું કારણ શું છે તેને હેવાલ તું સદાગમ- સાંભળ. આ નગરીમાં એક શુદ્ધ સત્યવાદી સદા સ્વરૂપ. ગમ' નામના મહાપુરુષ છે, તે સર્વ પ્રાણીઓનું હિત કરનાર છે, સર્વ ભાવોને અને સ્વભાવોને સારી રીતે જાણનારા છે અને ખાસ કરીને તેઓ આ કર્મપરિણુંમ રાજા અને કાળપરિણતિ રાણીની ખાનગીમાં ખાનગી વાતનાં રહસ્ય, તેનાં સ્થાનો અને તેનાં મને બરાબર જાણનાર છે. તે મહાત્મા સદાગમ સાથે મારે સારે સંબંધ છે, હું તેમને અવારનવાર મળ્યા કરું છું. એક વખત હું તેઓની પાસે ગઈ હતી ત્યારે મેં તેઓને ખાસ આનંદમાં જોયા; તેઓના ચહેરા ઉપર હર્ષનાં ચિહ્નો સ્પષ્ટ જણાતાં હોવાથી મેં આગ્રહપૂર્વક તેઓના હર્ષનું કારણ પૂછયું. તેના જવાબમાં તેઓએ જણાવ્યું “ભદ્ર! તને આટલું બધું કુતૂહલ થયું છે તે મારા હર્ષનું કારણ સાંભળ. આ કાળપરિણતિ સદાગમ હર્ષકારણ * મહારાણી છે તેમણે એક દિવસ મહારાજાને ખાનભવ્યપુરુષને જન્મ. ગીમાં વિજ્ઞપ્તિ કરી “રાજન ! હું પોતે વંધ્યા નથી છતાં લેકે મને વંધ્યા કહે છે એ ખેટા આરોપથી હવે તે હું બહુ કંટાળી ગઈ છું. જો કે મારે અનંત પુત્ર છે, છતાં દુર્જન પ્રાણીઓની મારા ઉપર નજર ન પડે તેટલા માટે આપના અવિવેક વિગેરે મંત્રીઓએ વંધ્યા તરીકે દુનિયામાં મને જાહેર કરી છે અને તેના પરિણામે મારા પિતાનાં બાળકે જાણે બીજાનાં બાળકે હોય એ પ્રમાણે લોકોમાં વાત થયા કરે છે. આ તે જેને લીધે કપડાનો ત્યાગ કરવા જેવી વાત થઇ, મારા ઉપર આ ૧ સદાગમ એટલે શુદ્ધ પુરુષોએ બતાવેલ વિશિષ્ટ જ્ઞાન (શ્રુતજ્ઞાન). આ જ્ઞાનને આકાર આપી પાત્રનું રૂપ આપ્યું છે. એ શબ્દથી શ્રતજ્ઞાન ધોરણ કરનાર ગુરુ મહારાજ પણ સમજાય છે. બન્ને અર્થ બરાબર બેસતા આવે છે. સંબંધ ઉપરથી ક્યાં ક અર્થ લાગુ પડે છે તે વિચારી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy