SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ OLURMET પ્રકરણ ૨ જું. કર્મપરિણામ અને કાળપરિણતિ. પર વર્ણવેલી મનુજગતિ નગરીમાં કર્મપરિણામ નામનો મોટો રાજા રાજ્ય કરે છે. એનાં બળ અને પરાક્રમ અન્યની સાથે સરખાવી શકાય તેવાં નથી, તેણે પોતાની શક્તિથી સ્વર્ગ, મર્ય અને પાતાળ ત્રણે લેકેને જીતી લીધા છે અને તેની શક્તિનો સખ્ત વેગ એવો આકરે છે કે શક (ઇંદ્ર) પણ તેને રેકી શકતો નથી. તે રાજા પોતાનો પ્રચંડ પ્રતાપ સર્વત્ર ફેલાવવાના ઈરાદાથી સર્વ નીતિશાસ્ત્રો પર પગ મૂકીને આખી દુનિયા તરફ કર્મ પરિણામ એક તરખલાની સમાન ધિક્કારની નજરથી જુએ રાજાની શક્તિ છે. તે રાજા પ્રાણીઓ તરફ સર્વ અવસ્થામાં તદ્દન દયા વગરનો છે, એને અન્ય પ્રાણીનું દુઃખ જોઈને કાંઈ લાગણી થતી નથી. તે જે કાંઈ સજા કરે તેને બરાબર સખ્ત અમલ થવો જોઈએ એવા પ્રચંડ શાસનવાળે છે અને જે દંડ કરે તે કઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર તે અમલમાં મૂકે છે. વળી એ રાજાને ૨મત ગમત બહુ પસંદ આવે છે, જાતે ઘણે દુષ્ટ છે અને પિતાની આજુ ૧ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મ છે. જ્ઞાનાવરણીય કર્મથી આત્માને જ્ઞાન ગુણ અવરાય છે, આચ્છાદન પામે છે; દર્શનાવરણીય કર્મથી દેખવાને ગુણ આચ્છાદન પામે છે અને ઉંઘ આવે છે; વેદનીયથી સુખ દુઃખનો અનુભવ થાય છે, મેહનીય કર્મથી ક્રોધ, માન, માયા, લાભ, શેક વિગેરે અંતરંગ શત્રુનું જેર થાય છે અને સંસાર તરફ ખેંચાણ થાય છે, આસક્તિ થાય છે, પોતાનું શું છે અને પારકું શું છે તેનું ભાન ભૂલાય છે; આયુષ્ય કર્મથી આયુ-જીવનકાળ નિર્ણત થાય છે; નામ કર્મથી શરીર, આબરૂ, ઇંદ્રિય વિગેરે વિચિત્ર વિગતો પૂરી પડે છે; શેત્ર કર્મથી ઊચાં નીચા કુળમાં જન્મવાનું બને છે અને અંતરાય કર્મના ઉદયથી લાભાલાભ અને શક્તિ પર આવરણ આવી પડે છે. આ આઠ કમોંના ઉત્તર ભેદ ૧૫૮ છે. એના અનેક ભેદો પડી શકે છે. એ કમનું પરિણામ ભોગવવું—એને ઉદય – તેને અહીં કર્મપરિણામ રાજાનું રૂપક આપવામાં આવ્યું છે. એને વેગ અપ્રતિહત છે, કોઈથી રેકી શકાય તેવો નથી, એની શક્તિ અદ્ભુત છે અને લોકો-છો પાસે નાટક કરાવવું તે એના ખરા પ્રેમને વિષય છે. ૨ પ્રચંડ શાસનઃ આકરો હુકમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy