SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧] મનુજ ગતિ નગરી. ૨૫૫ એટલે ઊંચે છે કે તેને લીધે ચંદ્ર અને સૂર્યની ગતિ પણ રેકાઈ ગયેલી છે, તેને લીધે દુશ્મનો પિતાનું લશ્કર લાવી શકે એવો ભય તો ત્યાં તદ્દન નાશ પામે ગયો છે. તે અતિ ઊંચા ગઢથી દૂર તેની ફરતી મોટા વિસ્તારવાળા સમુદ્રરૂપ મટી ખાઈ આવી રહેલી છે તેથી તે નગરીનું બચાવકામ ઘણું સુંદર પ્રકારનું છે. તે નગરીમાં વિબુધથી વસાયલા ભદ્રશાલ વનરૂપ અનેક બગીચાઓ છે. એ નગરીમાં અનેક પ્રકારના પ્રાણીસમૂહરૂપ જળના પ્રવાહને વહન કરનાર મોટી નદીરૂપ મોટા મોટા જળમાર્ગો છે. તે નગરીમાં અનેક નદીઓના સંગમના આધારભૂત અનેક રસ્તાઓને મળનારા લવણુ અને કાળદધિ સમુદ્રરૂપ બે મોટા રાજમાર્ગો છે. તે નગરીમાં સદરહુ બે રાજમાર્ગથી જુદા પડી ગયેલા (ત્રણ વિભાગમાં વહેચાઈ ગયેલા) જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરવર દ્વીપાર્ધરૂપ ત્રણ મોટા વિભાગ છે (મોટા મહેલ્લાઓ છે). એ નગરીમાં લેકનાં સુખનું કારણ, પિતપિતાને યોગ્ય સ્થાનકે રહેવાવાળા અને કલ્પવૃક્ષ જેવા સ્થાનાંતર રાજાઓ છે. ૧ નગરને ગઢ જોઇએ અને ગઢ સાથે ખાઈ જોઈએ. મનુજગતિને માનપિત્તર પર્વતરૂપ ગઢ છે અને તેની આગળ પુષ્કરવર સમુદ્રરૂપ ખાઈ છે. ૨ વિબુધ શ્લેષ છેઃ (૧) ભદ્રશાળ પક્ષે-દેવતા; (૨) મનુજગતિ પક્ષે વિદ્વાન મનુષ્ય. ૩ ભદ્રશાળ વન મહાવિદેહ ક્ષેત્રમાં આવેલું છે. ૪ ગંગા સિધુ વિગેરે નદીઓ પર રૂપક છે. ૫ રસ્તાઓ પર માણસે જાય છે તેમ મનુજગતિમાં નદીઓને પ્રવાહ ચાલ્યા કરે છે અને તે સમુદ્રને જઇને મળે છે. ૬ નદી જેમ સમુદ્રને મળે છે તેમ નાની નાની શેરીઓ મોટા રાજમાર્ગને મળે છે. ૭ શહેરની વચ્ચે નદી હોય તેથી જેમ વિભાગ પડી જાય છે તેમ આ નગરીને ત્રણ મોટા ભાગ પડી ગયા છે. જંબદ્વીપમાં એક ભરત, એક ઐરાવત અને એક મહાવિદેહ ક્ષેત્ર હોય છે, જ્યારે ધાતકીખંડ અને પુષ્કર દ્વીપમાં તે પ્રત્યેક બે બે હોય છે. ૮ જંબદ્વીપ સર્વની વચ્ચે દ્વીપ છે, તેની ફરતો લવસમુદ્ર છે, ત્યારપછી ધાતકીખંડ દ્વીપ છે, તેની ફરતો કાળદધિ સમુદ્ર છે, ત્યારપછી પુષ્કરવાર દ્વીપ આવે છે. આવી રીતે ત્યારપછી અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે. મનુષ્યની વસ્તી માત્ર જંબુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરદ્વીપના અર્ધ ભાગમાં જ છે. ૯ સ્થાન સ્થાનના નાના નાના રાજાઓ છે તે બતાવવા આ રૂપક લખ્યું છે. એ નગરીમાં કલ્પવૃક્ષ પણ બહુ છે એમ પણ આ રૂપકથી જણાય છે. સ્થાનાંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy