SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧] મનુજગતિ નગરી. ૨૫૩ સાને પ્રમાદ ઉપજાવનારી, સમરાદિત્યની કથા પેઠે અનેક વૃત્તાંતાથી ભરપૂર, ત્રણે ભુવન જીતેલાની પેઠે જેણે નામના મેળવી છે તેવી અને સુસાધુ પુરુષાની ક્રિયાની પેઠે પુણ્ય વગરના પ્રાણીને મળવી અતિ મુશ્કેલ એવી એક મનુજગતિ નામની નગરી છે. એ નગરી ધર્મની ઉત્પત્તિભૂમિ છે, અર્થનું મંદિર છે, કામનું ઉત્પત્તિસ્થાન છે, મેાક્ષનું કારણ છે, અને પંચ કલ્યાણક વિગેરે પ્રસંગ પર થતા અને બીજા અનેક મહાત્સવ આડંબરનું સ્થાન છે. તે નગરીમાં વિચિત્ર પ્રકારનાં સુવણૅ અને રત્નોની ભીંતેાથી સુંદર લાગતાં, અતિ મનહર હોવાને લીધે જેમાં અનેક દેવા રહેલા છે તેવાં, મેરૂ પર્વતરૂપ ઊંચાં અને વિશાળ અનેક દેવકુળા છે. ત્યાં અનેક આશ્ચર્યજનક વસ્તુ મનુજગ તિ નગરી. ૧ પ્રમેાદ શબ્દ અહીં શ્લેષ છેઃ (૧) આનંદ-દીક્ષા સાથે; (૨) સંપૂર્ણતાસિદ્ધિ-એ અર્થ નગરી સાથે કરવેા. ૨ સમરાદિત્ય ચરિત્ર માટે જીએ · સમરાઇચ્ચ કહા’ હરિભદ્ર સૂરિ રચિત છપાઇને અહાર પડી છે. તે ઉપરાંત રા. કેશવલાલ મેદીએ ‘સમરાદિત્ય સંક્ષેપ ’ છપાવેલ છે અને ‘સમરાદિત્યના રાસ' શ્રીપદ્મવિજયજીના કરેલા બહુ સુંદર છે તે પણ છપાઇ બહાર પડેલ છે. એ કથા સુંદર છે અને અહુ બનાવેાથી ભરપૂર છે. ખરા વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવી છે. ૩ વૃત્તાંત શબ્દ અહીં શ્લેષ છે: (૧) વાર્તા-અંતરવાર્તા. સમરાદિત્ય કથામાં બહુ છે અને ચિરત્ર પણ ઘણી વાતાથી ભરપૂર છે; (૨) બનાવેા-નગરી સાથે. નગરીમાં અનેક વૃત્તાંતા બન્યા કરે છે. ૪ નામના શબ્દ પર અહીં શ્લેષ છેઃ (૧) વખાણ-ત્રણ ભુવન જીતનારનાં મહુ થાય છે (૨) આબરૂ-મનુષ્યગતિ ત્રણે ભુવનમાં શ્રેષ્ઠ છે, કારણ કે તે મેાક્ષનું દ્વાર છે તેથી તેની આખરૂ~ખ્યાતિ બહુ છે. ૫ ભાગ્ય વગરના પ્રાણીએ જેમ સંત પુરુષેાની ક્રિયા મેળવી શકતા નથી, કરી શકતા નથી તેમ શુભ કર્મ વગરના પ્રાણીએ આ નગરીને પ્રાપ્ત કરી શકતા નથી. ૬ અહીં ચારે પુરુષાર્થ-ધર્મ અર્થ કામ મેાક્ષ-પ્રાપ્તવ્ય છે એમ બતાવે છે. ७ * મેરૂ પર્વત સુવર્ણ રત્તમય છે, દેવકુળાની ભીંત પર સુવર્ણ જડેલ છે. ૮ દેવા” સ્લેષ છે: (૧) મેરૂપક્ષે-દેવતાઓ; (૨) દેવાલયમાં-જિનેશ્વર દેવે ૯ પાંચ મેરૂ પર્વત છે. એક જંબૂદ્બીપના મધ્યમાં, એ ધાતકીખંડમાં અને એ પુષ્કરાર્ધ દ્વીપમાં. ૧૦ દેવાલયા, મંદિરે. મનુજગતિમાં અનેક દેવકુળા હોય તે તદ્દન સ્વાભાવિક અને સમજી શકાય તેવી બાબત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy