SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] પરિશિષ્ટ. . ૨૪૭ કાળથી સૂક્ષ્મ પુદગળપરાવર્તિ થાય છે. એમાં ઉત્સપિણીમાં પ્રથમ સમયે કાળ કર્યા પછી તેના પછીનાજ બીજા સમયે બીજી કોઈ પણ ઉત્સર્પિણીમાં કાળ કરે તેજ ગણાય છે, વચ્ચેના મરણસમય ગણાતા નથી. કષાયના કારણથી જે અધ્યવસાય થાય તેને લીધે કર્મબંધ થાય છે. એ કર્મબંધમાં બહુ તરતમતા હોય છે. કષાય મંદ કે તીવ્ર હોય તેમ કર્મના અનુબંધમાં ફેર પડે છે. એનાં અસંખ્ય સ્થાન છે અને તેથી અનુબંધસ્થાન પણ અસંખ્ય છે. પ્રાણીને જેવી જેવી જુદી જુદી વાસના તેટલા તેટલા જૂદા જૂદા અધ્યવસાય થાય છે અને તે પ્રત્યેકમાં તરતમતા હોય છે તેથી પ્રત્યેકનું સ્થાન જૂદું પડે છે એ અનુબંધસ્થાન અસંખ્ય સમજવાં; એ સર્વ અધ્યવસાયસ્થાનક આગળ પાછળ ફરસીને પૂરાં કરે ત્યારે ભાવથી બાદર પુદુગળપરાવર્ત થાય છે; અને પ્રથમ અ૫ કષાયોદયરૂ૫ અધ્યવસાયે છતો મરણ પામે, તે વાર પછી બીજે ગમે તેવાં સ્થાનકોએ મરણ પામે તે ગણાય નહિ, પણ ત્યારપછી તેની અનંતર અધ્યવસાયસ્થાનકે મરણ પામે તેજ ગણાય, એવી રીતે સર્વ અધ્યવસાયસ્થાનકોએ અનુક્રમ પ્રમાણે ચાલતો કાળ કરે ત્યારે ભાવથી સૂક્ષ્મ પુદગળપરાવર્ત થાય છે. આ સ્વરૂપમાં બાદર પુડ્ઝળપરાવર્તના ચાર ભેદ કહ્યા છે એ જરા ઠીક લાગશે, કારણ કે એમાં બહુ ઓછા ભવ કરવા પડે છે (પ્રમાણમાં), પરંતુ શાસ્ત્રકાર કહે છે કે એ બાદરના ચાર ભેદ તો સમજવા માટેજ બતાવ્યા છે, તેનો બીજો ઉપયોગ નથી. એ સમજવાથી સૂક્ષમ ભેદ ગ્રાહ્યમાં આવે તેથી જ બતાવ્યા છે, બાકી અમુક જીવે જે અનંત પુત્ર ગળપરાવર્ત કર્યો અને હજુ કરશે તે તો સૂમ સમજવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy