SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. (૨) આવશ્યકમાં નાગદત્તકથા. પ્રતિક્રમણ સંબંધી હકીકત ચાલે છે તેના દેવસી વિગેરે ભેદો બતાવી પ્રથમ અને છેલ્લા તીર્થંકરના સાધુઓને તે અવશ્ય કરવાના છે એમ જણાવ્યું અને મધ્યના ખાવીશ તીર્થંકરના સાધુઓને પ્રસંગ પડે ત્યારે કરવાના એમ જણાવ્યું. કઇ બાબતોનું પ્રતિક્રમણ કરવું તે અતાવી પછી ત્યાં કહે છે કે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરવું, અસંયમનું પ્રતિક્રમણ કરવું, કષાયનું પ્રતિક્રમણ કરવું અને અપ્રશસ્ત મન વચન કાયાના યોગોનું પ્રતિક્રમણ કરવું, પરિપાટીથી · સંસારપ્રતિક્રમણ ’ ચાર પ્રકારનું થાય છે–નરકગતિમાં લઇ જાય તેવા મહા આરંભ વિગેરે કર્યા હોય-જાણીને કે અજાણતાં કર્યા હોય અને કોઈ અન્યથા પ્રરૂપણા કરી હોય તેની ક્ષમાપના કરવી તે પ્રથમ પ્રકાર છે, એવીજ રીતે તિર્યંચગતિમાં લઇ જાય તેવા દોષો સેવ્યા હોય તેની ક્ષમાપના કરવી, નરગતિમાં લઇ જાય તેવા દોષો કર્યા હોય તેની ક્ષમાપના કરવી, દેવગતિમાં લઇ જાય તેવા દોષો આચાર્યા હોય તેની ક્ષમાપના કરવી એ ચાર પ્રકારનાં સંસારપ્રતિક્રમણ છે. ૨૨૨ ૧ ભાવપ્રતિક્રમણ ત્રણ પ્રકારે ત્રિવિધ થાય છેઃઅન્ય ધર્મ તરફ મનથી જાય નહિ, વચનથી ખોલે નહિ અને પ્રયોજન વગર શરીરથી તેની સાથે સંયોગ ન કરે તથા અન્યને મનથી તેવી રીતે પ્રવર્તાવે નહિ, વચનથી પ્રેરણા કરે નહિ, શરીરથી સંબંધ કરાવે નહિ તેમજ એમ કરનાર સંબંધી મનમાં અનુમોદના કરે નહિ, વચનથી અનુમોદના કરે નહિ, શરીરથી ઇસારો વિગેરે કરે નહિ. એવીજ રીતે અસંયમ કષાય યોગ વિગેરેમાં સમજવું. હવે આ સંસારનું મૂળ કષાયો છે. શાસ્ત્રકાર કહે છે કે ક્રોધ અને માનતા જો નિગ્રહ ન કર્યો હાય તથા માયા અને લાભને વધતાં અટકાવી દીધાં ન હેાય તે એ ચારે મહાભયંકર થઇ પડે છે અને સંસારવૃક્ષનાં મૂળામાં જળ સિંચન કરે છે. આ કષાયપ્રતિક્રમણના સંબંધમાં એક ઉદાહરણ કહે છેઃ નાગદત્તકથા. [પ્રસ્તાવ ૧ એ સાધુઓ હતા, અન્ને સારી રીતે ચારિત્ર પાળતા હતા, અન્નેએ અંદર અંદર સંકેત કર્યો કે તેઓમાંથી જે દેવલોકે જાય તેણે બીજાને પ્રતિઓધ કરવાનો પ્રયત્ન કરવો. અન્ને કાળ કરીને દેવલોકે ગયા. હવે એક નગ Jain Education International ૧ જુએ આવશ્યક સૂત્ર ઉત્તરાર્ધે-પૂર્વ ભાગ (આગમેય સમિતિ ) પૃ. ૫૬૪ થી ૫૭૦. આ સંબંધી હકીકત માટે જીએ લેાક ૧૨૫૧ થી ૧૨૭૦. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy