SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રસ્તાવ, પરિશિષ્ટ. . સંબંધ માટે જુઓ પૃ. ૧૧ ની નોટ. અંતરંગ લોકોનાં જ્ઞાન, અરસ્પરસ બોલચાલ, ગમનાગમન, વિવાહ, સગપણ વિગેરે બતાવવાનાં છે તેનો આગમથી બચાવ કરતાં ગ્રંથકર્તા કહે છે કે ગુણાંતરની અપેક્ષા રાખીને ઉપમા દ્વારથી બધ કરાવવાની પદ્ધતિ આગમને સંમત છે; તેનાં ચાર દૃષ્ટાતો તેમણે ત્યાં આપ્યાં છે. એ ચારે દૃષ્ટાતો બીજી અનેક રીતે બોધદાયક હોવાથી આગમના ખાસ અભ્યાસીઓને પૂછીને અત્રે ઉતારી લેવામાં આવ્યાં છે તે મનન કરવા યોગ્ય છે. ચારે દૃષ્ટાન્તો હેતુ અર્થ સાથે નીચે પ્રમાણે છે. "આવશ્યક સૂત્રમાં મગળીઆ પાષાણ અને પુષ્પરાવર્ત મેઘની સ્પર્ધા. આવશ્યક સૂત્ર ઉપર હરિભદ્રસૂરિની વૃત્તિ છે તેમાં વિષય ઉદેશ વિગેરે જણાવી ત્યારપછી વ્યાખ્યાનવિધિ પર વિવેચન કરતાં જણાવ્યું છે કે સૂત્રનું વ્યાખ્યાન કરનાર આચાર્ય ગુણવાન હોવા જોઈએ અને તેને સમજનાર શિષ્ય પણ ગુણવાન અને ખપી હોવો જોઈએ. એ પર સાત દૃષ્ટાન્તો આપ્યાં છે, તેમાંનું એક દૃષ્ટાન્ત આપણે વિચારી જઈએ. ગદષ્ટાન્તઃ કોઈ ગામમાં એક ધુતારે રોગવાળી ગાયને વેચી, એ ગાય એટલી બધી રોગથી ભરપૂર હતી કે ઊભી પણ થઈ શકે તેવી નહોતી. ખરીદનાર મૂર્ખ હોવાથી તેણે તપાસ કર્યા વગર બેઠેલી હતી તેવી ને તેવી ગાયને ખરીદી લીધી. પછી તે ગાયને બજારમાં વેચવા નીકળ્યો. ખરીદનારા કહેવા લાગ્યા કે અમે ગાયને તપાસીને ખરીદીએ ત્યારે તે બોલ્યો કે “મેં જમીન પર બેઠેલી ગાયને જ ખરીદી છે, માટે તમે પણ તેને તેવી જ ૧ જુઓ આવશ્યક વૃત્તિ પ્રથમ વિભાગ પૃ. ૧૦૦ (આગમેદય સમિતિ તરફથી છપાયેલ ગ્રંથ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy