SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ કેશવ ! પીઠબંધ ] અલ્પ ત્યાગથી સ્થૂળ વધારે. યમે વચ્ચે વચ્ચે કે કોઈ વાર જરા જરા સેવે છે અથવા બિલકુલ સેવતા નથી. જેમ “તયા તેને સંભારી આપે ત્યારે કઈ વખત જરા અંજન આંખમાં આંજતો હતો” તેમ આ પ્રાણીને ગુરુ મહારાજ વારંવાર પ્રેરણા કરે ત્યારે ગુરુ મહારાજની ખાતરજ તેમાં જાણે પ્રવૃત્તિ કરતે ન હોય તેમ જ્ઞાનનો છેડે થે અભ્યાસ કરે છે, પરંતુ તે પણ કઈ વખતજ કરે છે. દરરોજ તે કરતો જ નથી. “અને તીર્થજળ પણ તયા વારંવાર કહે ત્યારે કોઈ વખત જરા પીતો હતો” તેવી રીતે આ પ્રાણી પણ પ્રમાદને વશ થઈને જ્યારે ગુરુ મહારાજ ખાસ પ્રેરણ કરે છે ત્યારે સમ્યગદર્શનને વધારે વધારે પ્રદીપ્ત કરતા આગળ વધતો જાય છે, પરંતુ તે માત્ર ગુરુ મહારાજની ખાતર અને તેમની પ્રેરણાને અંગેજ કરે છે, પણ પિતાના અંતઃકરણના ઉત્સાહથી કરતા નથી. ત્યારપછી નિપુણ્યકની વાતમાં જરા વિસ્તારથી આ પ્રમાણે હકીકત કહેવામાં આવી છે કે “તયા એને હોંશથી તુચ્છ ભોજન- મહાકલ્યાણક ભોજન બહુ સારી રીતે આપતી હતી માં વધારે. ત્યારે તેમાંનું જરા ખાઈને બાકીનું અન્ન પિતાના ભિક્ષાપાત્રમાં તે નાખી દેતો હતો. તેના તુચ્છ ભજનની સાથે આ સુંદર ભેજન મળવાથી તેના અન્નમાં નિરંતર વધારે થયા કરતું હતું, તેથી તેનું અન્ન દરરોજ રાત દિવસ ખાધા કરે છેપણ તે કદિ પૂરું થતું નહોતું (ઘટતું નહોતું ). પોતાના ભેજનમાં આવી રીતે વધારે જોઈને તે મનમાં બહુ રાજી થતા હતા, પણ તેના પ્રતાપથી અને શા કારણથી પોતાના ભોજનમાં વધારે થાય છે તેનું કારણ તે કદિ વિચારતો હતો. પિતાના ભોજનમાં આસક્ત થયેલ નિપુણ્યક સુંદર ભેજન તરફ ઓછા ઓછા આદરવાળો થતો જતો હતો અને પોતે કાંઈક સમજતો હતો છતાં જાણે તદ્દન અજાણ હોય તેમ સાંસારિક મેહમાં કાળ ગાળતો હતો. પિતાનું તુછ ભેજન તે રાત દિવસ ખાતો હોવાથી શરીરે હૃષ્ટપુષ્ટ થતો ગયે, પણ ત્રણે ઔષધે આદર વગર માત્ર જરા જરા કઈ વખત વાપરતો હતો તેથી તેના વ્યાધિઓનો સમૂળે નાશ થયો નહિ. એટલે મહાકલ્યાણક અન્ન તે થોડું થોડું લેતે હતું તેટલાથી પણ તેને ફાયદો તે ઘણે છે અને તેના વ્યાધિઓ તેથી ઓછા ઓછા તે થતા ગયા, પણ વસ્તુસ્વરૂપનું બરાબર ભાન ન હોવાને લીધે ૧ જુએ કથાપ્રસંગ અગાઉ પૃષ્ઠ ૩૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy