SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ આ પ્રાણીની પરિચારિકા કહી છે એમ સમજવું. ગુરુ મહારાજના મનમાં જે લાગણી થાય છે તે આ પ્રાણી પાસે આવી તેની પરિચારિકાદાસી તરીકે કામ કરે છે એમ ઉપનય સમજો. ઉપર પ્રમાણે હકીકત બન્યા પછી આ પ્રાણી ગુરુ મહારાજનું વચન અંગીકાર કરે છે, મારે આ ભવમાં જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ પ્રમાણે જ કરવું એવો નિશ્ચય કરે છે, ભગવાનના મંદિરમાં કેટલેક કાળ દેશવિરતિ તરીકે રહે છે અને ધન વિષય કુટુંબ વિગેરેના આધારભૂત ભિક્ષાપાત્ર જેવા પોતાના જીવિતવ્યને પાળે છે (ભિક્ષાપાત્ર તે સાંસારિક અપેક્ષાવાળું જીવન ઉપમાન કરાયેલું છે એમ અત્ર રસમજાય છે). આ પ્રમાણે હકીકત ચાલતી હતી તે વખતે એક બનાવ બને તે સંબંધી હકીકત હવે આપણે વિચારીએ. અલ્પ સ્વીકારને મોટો લાભ. મૂળ કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે “તા-મંત્રીશ્વરની દીકરી તેને રાત દિવસ ત્રણે ઔષધો આપ્યા કરે છે, પરંતુ એ નિષ્પ યકને પોતાના કુભોજન ઉપર હજુ આસક્તિ ઘણું છે તેથી તેના ઉપર જોઈએ તેટલે પ્રેમ થતો નથી. આ પ્રાણીના સંબંધમાં પણ તેમજ બને છે. ગુરુ મહારાજની દયા આ પ્રાણીને વારંવાર જ્ઞાન દર્શન ચારિત્ર મેળવી આપે છે એટલે ગુરુ મહારાજ આ પ્રાણી ઉપર દયા લાવીને વારંવાર તેને જ્ઞાનાદિ આપવા પ્રયત્ન કરે છે, પરંતુ આ પ્રાણીને ધન વિષય કુટુંબ સ્ત્રી આદિ ઉપર ઘણી પ્રીતિ હોવાને લીધે અને કર્મની સત્તા તળે તે દબાયેલો હોવાને લીધે એ હકીક્તને તે પોતાના મનમાં કોઈ મોટી વાત તરીકે માનતા નથી અને ગુરુ મહારાજની દયાને વધારે લાભ લઈ શકતોન થી. જેવી રીતે પેલે દરિદ્રી “મેહથી પિતાની પાસેનું તુછ ભજન વધારે ખાતો હતો અને તયાએ આપેલ ભોજગાઢ આસક્તિ- મને બહુ થોડું ખાતો હતો” તેવી રીતે આ પ્રાણી સહજ ત્યાગ. પણ મહામહને વશ પડીને પૈસા પેદા કરવાની બાબતમાં, વિષયોને ઉપભોગ કરવાની બાબતમાં અને તેવાં બીજાં સાંસારિક કાર્યોમાં ગાઢપણે આસક્ત રહે છે, તે તે કાર્યો બહુ હોંશથી કરે છે અને ગુરુ મહારાજે દયાપૂર્વક બતાવેલાં વ્રત નિ ૧ આવા નિશ્ચયને પચ્ચખાણ કહેવામાં આવે છે અને તેથીજ પ્રાણી વિરતિ ગુણ પામ્ય કહેવાય છે. નિશ્ચયપૂર્વક ત્યાગ ન કરે ત્યાં સુધી વિરતિ થતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy