SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ દ્વિતીય પ્રસ્તાવ-કથાસાર, પ્રકરણુ ૧ લું-મજગતિ નગરી. સર્વ મનોરથ પૂરનાર અનેક આશ્ચય અને બનાવેથી ભરપૂર મનજગતિ નામની અદ્દભુત નગરીનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એ નગરીના મહોલ્લા પરા વિગેરે વિસ્તારથી બતાવવામાં આવ્યા છે અને છેવટે એ નગરીની અભુતતા વર્ણવી છે. પૃ. ૨૫-૨૫૭ પ્રકરણ ર -પરિણામ અને કાળપરિણતિ. એ મનુજગતિ નગરીનો રાજા કર્મપરિણામ નામનો છે. એનો હુકમ ત્રણે લોકમાં ચાલે છે, એ ઘણો બળવાન છે અને એનું શાસન પ્રચંડ છે. એને નાટક જેવા ઘણે શેખ છે અને લોકોને (છ) તેથી તે નવા નવા વેશ લેવરાવે છે અને અનેક પ્રકારના ચાળા તેમની પાસે કરાવે છે. એનું સંસારનાટક અતિ વિચિત્ર પ્રકારનું છે અને એના નાટકને સાજ આખે સમજવા યોગ્ય છે. રાજકાર્યમાં સલાહ આપનાર, લાવણ્યનો નમુનો અને રાજાની અત્યંત પ્રીતિ સંપાદન કરનાર કાળપરિણતિ નામની તેની રાણું છે, તે પતિની બાજુમાં રહી નાટકના હુકમો આપે છે અને લોકે મુંગે મહેઠે રાણીના હુકમો અમલમાં મૂકે છે. પૃ. ૨૫૮-૨૭૦ - પ્રકરણ ૩ જું-ભવ્યપુરૂષ સુમતિજન્મ. રાણીને પુત્ર નથી તે બાબતનું દુઃખ થાય છે. પતિને મત મળતાં પુત્ર જરૂર થશે એમ રાણીની ખાતરી થાય છે. શુભ સ્વમ આવ્યા પછી યોગ્ય કાળે પુત્રને જન્મ થાય છે, જન્મને સુંદર મહેત્સવ આખા નગરમાં થાય છે અને ત્યાર પછી તેનું ભવ્યપુરૂષ નામ પાડવામાં આવે છે; રાણું તેને સુમતિ (ડાહ્યો) એવું ઉપનામ આપે છે. પૃ. ૨૭૧–૨૭૪ પ્રકરણ ૪ થું-અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાલા. એજ નગરીમાં અગ્રહીતસંકેતા નામની બ્રાહ્મણ રહેતી હતી. તેણે પિતાની સખી પ્રજ્ઞાવિશાલાને પૂછયું કે રાજા અને રાણી વંધ્ય કહેવાય છે છતાં તેને પુત્ર કેમ થયો? પ્રજ્ઞાવિશાલાએ જણાવ્યું કે રાજાની નિબ જતા તે તેના અવિવેક વિગેરે મંત્રીએ હેતુપૂર્વક જાહેર કરી છે, બાકી તો સર્વ પ્રાણીઓ તેના પુત્ર છે. છતાં પુત્રજન્મને આવડે મહોત્સવ થવાનું કારણ પૂછતાં પ્રજ્ઞાવિશાલાએ જણાવ્યું કે આ નગરમાં એક સદગમ (શદ જ્ઞાન) નામનો ડાહ્યો પુરૂષ છે, તે રાજા રાણીના મર્મ જાણનાર છે, તેણે એ વાતનું રહસ્ય પોતાને કહ્યું છે; તેમાં રાણીના ખાસ આગ્રહથી વંધ્યાપણાનું મહેણું ટાળવા પુત્રજન્મ થયો છે એમ તેમનું કહેવું થયું છે. એ પુત્રના જન્મથી સદાગમ પણ રાજી થયા છે. બજારમાં સદાગમે એના જન્મથી આનંદ જણાવ્યું તે વાત અગુહીતસંકેતાએ સાંભળી હતી તેથી તેણે પણ તે વાતમાં સંમતિ બતાવી. વળી અગૃહતસંકેતાએ જણાવ્યું કે લોકો એના જન્મથી બહુ રાજી થયા છે. સદાગમ કોણ છે તેના સમાચાર મેળવવાની અને રાજપુત્રના જન્મથી તેના આનંદનું કારણ જાણવાની તેને ઘણી ઇચ્છા હતી તે સંબંધી તેણે પછી પ્રજ્ઞાવિશાલાને સવાલ કર્યો. પૃ. ૨૭૪-૨૮૦ પ્રકરણ ૫ મુંસદાગમપરિચય: પ્રજ્ઞાવિશાલા જવાબમાં સદાગમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy