SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] ગુરુની યથાસ્વરૂપે ઓળખાણુ. ૧૫૧ જેઓ પોતાના શરીરને પણ પીંજરારૂપ ગણીને તેના ઉપરની કઈ પણ પ્રકારની મમત્વબુદ્ધિનો ત્યાગ કરી રહ્યા છે, તેવાઓને માટે મેં મારા મનમાં ધાર્યું હતું કે તેઓ મારી પાસે આ ધર્મકથાનો પ્રપંચ કરીને કે બીજી કઈ રીતે બને છેતરીને મારી પાસે જે ડું ઘણું દ્રવ્ય છે તેને શું લુંટી જશે કે હરી જશે કે પડાવી જશે? આવા આવા અત્યાર સુધીમાં મેં અનેક વખત વિચાર કર્યા–આવા મારા તુચ્છથી પણ તુચ્છ મહા અધમ વિચારો પર ધિક્કાર પડે ! જે આ ધર્માચાર્ય મહાત્મા મારા ઉપર માત્ર પરમ ઉપકાર કરવામાં તત્પર ન હોત તો સારી ગતિરૂપ નગરમાં જવાના સુંદર અને નિર્દોષ માર્ગને બતાવતાં સમ્યગજ્ઞાનનું દાન આપવાને બહાને મહા નરકમાં જવા યોગ્ય મારી ચિત્તવૃત્તિને તેઓ શા માટે રેકે? તેમજ વિપર્યાસભાવથી (મિથ્યાદર્શનથી) ભરેલા મારા મનને પોતાની બુદ્ધિવડે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવીને પછી પોતાના ખાસ પ્રયત્નથી શા માટે જેમ બને તેમ મારા સર્વ દે મૂકાઈ જાય એવી સ્થિતિ મારે માટે ઉત્પન્ન કરે ? એ મહાત્માને અન્ય પદાર્થની સ્પૃહા એટલી ઓછી છે કે તેઓ લેઢા અને સોના તરફ એક સરખી બુદ્ધિ રાખનારા છે, એ નિઃસ્પૃહી મહાભાને પારકાનું હિત કરવાનું વ્યસન લાગી રહ્યું છે અને તેને લઈને જ તેઓ સર્વ પ્રવૃત્તિ કરે છે. તેમાં ખરેખરી ખૂબી તો એ છે કે જે પ્રાણી ઉપર તેઓ ઉપકાર કરે છે તેની તરફથી બદલામાં કઈ પણ પ્રકારને પ્રત્યુપકાર થાય એટલે પિતાને કઈ પણ પ્રકારે બદલે મળે તેવી તેઓ જરા પણ આશા રાખતા નથી. આવા પારકું હિત કરનારા મહાત્માઓના ઉપકારનો બદલે મારા જેવા સાધારણ પ્રાણીઓ પોતાના પ્રાણથી પણ વાળી શકે નહિ, તે પછી પૈસા કે ધાન્યથી તો એવા ઉપકારનો બદલો વાળવાની વાત જ શી કરવી ? ” આ પ્રાણુને સમ્યગદર્શન પ્રગટ થવાથી તે હવે અત્યાર સુધીનું પિતાનું ચરિત્ર યાદ કરીને પશ્ચાત્તાપ કરવા લાગ્યો અને સમ્યગદર્શનનો બોધ કરનાર ગુરુ મહારાજ ઉપર જે ઉલટો વહેમ તેને પસ્યા કરતો હતો તે દૂર થવા લાગ્યો અને તેને પરિણુમે તે પ્રાણીના મનમાં ઉપર જણાવ્યા તેવા સારા વિચારે થવા લાગ્યા એમ સમજવું. અહીં પ્રથમ જણાવ્યા તેવા વિકલ્પો (ભાઠા વિચારે) બે પ્ર કારે ઉત્પન્ન થાય છે. એક તો કુશાસ્ત્ર (મિથ્યાશાસ્ત્ર)કુવિકલ્પ ના શ્રવણથી જે મિશ્યા વાસનાઓ બંધાઈ જાય તેને ના પ્રકાર, લઈને ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે આ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળરૂપ સૃષ્ટિ ઇંડામાંથી ઉત્પન્ન થયેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy