SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૧ મહાનુભાવપણ સિવાય બીજું કાંઈ પણ કારણ નથી. તે જ પ્રમાણે આ પ્રાણુને જ્યારે સમ્યગદર્શન થાય છે ત્યારે તેના સંબંધમાં પણ તેજ પ્રકાર બને છે. એ વખતે આ પ્રાણું આચાર્ય મહારાજના સંબંધમાં વિચાર કરે છે. વસ્તુનું યથાસ્થિત સ્વરૂપ આ પ્રાણુના જાણુવામાં આવેલું હોવાથી તે વખતે આ પ્રાણી રોદ્ર પરિણામનો ત્યાગ કરે છે ( કાંધલ્યાગ), મદથી અંધ થઈ જવાની પિતાની પદ્ધતિ છેડી દે છે (ભાનત્યાગ), કાવાદાવા કરીને કામ લેવાની ટેવને દૂર કરે છે (ભાયાત્યાગ), બહુ લેભ કરવાની રીતિને દેશવટો આપે છે (લોભત્યાગ), રાગવડે જ્યાં ત્યાં માથું મારતા હોય છે તે ચાલને મંદ પાડી દે છે, અન્ય પ્રાણી ઉપર બને ઝપાટો મારતા હોય છે તેને દૂર કરી દે છે અને મહામહના દેવોને કાપી નાખે છે. આ પ્રમાણે થવાથી આ પ્રાણીનું મન પ્રસન્ન થાય છે, અંતરાત્મા નિમેળ થાય છે, બુદ્ધિનું ચાતુર્ય વધે છે, ધન, કનક અને સ્ત્રીમાં સર્વસ્વપણુની બુદ્ધિ હોય છે તે નિવૃત્ત થાય છે, જીવ અજીવ વિગેરે પદાર્થોના જ્ઞાન તરફ આકર્ષણ અને આગ્રહ થાય છે અને તેના સર્વ દો કાંઇક ઓછા થાય છે, પાતળા પડે છે. આ પ્રમાણે થવાથી આ પ્રાણ પારકા ગુણેને સમજી શકે છે, પોતામાં કેવા કેવા અને કયા કયા દે છે તે તેના લક્ષ્યમાં આવે છે, પિતાની પ્રાચીન (પહેલાંની-અસલી અવસ્થા સંભારે છે, તે વખતે ગુરુ મહારાજે પોતાને માટે કેવા કેવા પ્રયત્નો કર્યા હતા તે યાદ કરે છે, પિતાની અત્યારે કાંઈક ગ્યતા થઈ છે તેનું કારણ એ ગુરુ મહારાજનો પ્રયતજ છે એમ તેને જણાય છે અને પછી તે વખતે જે પ્રાણું મારા જેવો અગાઉ અત્યંત તુચ્છ પરિણામને લીધે ધર્મગુરુની બાબતમાં પણ અનેક પ્રકારના સાચા ખોટા વિકલ્પો ઉઠાવનારે હોય છે તેને પણ કાંઈક વિવેક દષ્ટિ જાગ્રત થવાથી તે પોતાના મનમાં વિચાર કરે છે-“અહો મારી પાપિષ્ટતા ! અહે મારી મહામેહાંધતા ! ધિક્કાર છે મારા ભાગ્ય ઉપર ! તિરસ્કાર છે મારી કૃપણુતા ઉપર ! મારું અવિચારીપણું તો જુઓ ! થોડા ઘણું પ્રાપ્ત થયેલા ધનાદિ ઉપર પ્રતિબંધ રાખી તેના પર તીવ્ર પ્રીતિ કરીને અને તેમાં દઢ રાગ લાવીને મેં કેવા ખોટા વિચાર કર્યા કે આ મહાત્મા પુરુષ જેઓ નિરંતર પારકાનું હિત કરવા માટે તૈયાર રહેનાર છે, જેઓ કઈ પણ પ્રકારના દોષ રહિત હોઈ સંતેષથી પિતાના શરીરનું પિષણ કરનારા છે, જે મોક્ષસુખરૂપ ધન પેદા કરવામાંજ પિતાના અંતઃકરણની પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેઓ આ સંસારના વિસ્તારને ફોતરાંની મુઠી જેવો નિઃસાર (નકામે, ફેટ, કિમત વિગરને) સમજી રહ્યા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy