SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ પીઠબંધ] તફાવતોને ખુલાસ-ધર્મવિશિષ્ટતા. એ થાય છે કે તેને તે સર્વ ભેગો ભોગવવાની ઈચ્છા હોય તો પણ તે “ભેગવી શકતો નથી-આ પ્રમાણે બનતું ઘણુ વાર જોવામાં આવે છે “તેનું કારણ શું હશે? સંસારી પ્રાણીઓમાં ઉપર જણાવી તેવી અને બીજી અનેક પ્રકારની વિશેષતાઓ (જાદાપણું) વારંવાર જોવામાં આવે છે તેનું ઉપર ઉપરથી જોતાં કોઈ કારણું દેખાતું નથી અને કઈ પણ બાબત કારણ વગર થઈ શકે નહિ. જે એવા પ્રકારના તફાવતો કારણ વગરજ બનતા હોય તો આકાશની પેઠે હમેશાં બન્યા કરવા “જોઇએ અથવા તે તે સસલાનાં શીંગડાંની પેઠે કોઈ દિવસ પણ ન “હોવા જોઈએ. તે તફાવત કાં તો હોવાજ જોઈએ અને કાં તો નજ “હોવા જોઈએ, પણ આ તો બને છે એમ કે એવા તફાવતો કઈ વખત દેખાય છે અને કોઈ વખત બિલકુલ દેખાતા નથી; માટે એ “તફાવતો કારણ વગરના નથી એમ ચોક્કસ જણાય છે અને તેથી સ“હજ અનુમાન થાય છે કે એ તફાવતનું કાંઈ પણ કારણ જરૂર હોવું જોઈએ.” આટલી હકીકત સાંભળીને પેલા પ્રાણુને આ વાત કાંઈક સમજાણી હોય તેવી રીતે તે ગુરુ મહારાજને પૂછે છે “હે ભગવન ! ધર્મનું કા. ત્યારે એવા તફાવતો જોવામાં આવે છે તેનું કારણ રણપણું. શું હશે?” ગુરુ મહારાજ તેને પ્રત્યુત્તર આપતાં કહે છે “ભદ્ર ! સાંભળ. સર્વ પ્રાણીઓને જે સુંદર વિશેષતાઓ પ્રાપ્ત થાય છે એટલે ઉપર જે જાદી જૂદી હકીકત પ્રાણી ઓની બતાવી અને તેમાં તફાવત રહેતો બતાવ્યો એમ જે અવ“લોકન કરતાં જોવામાં આવે છે તેનું અંતરંગ (૭૫) કારણ ધર્મ છે. એ મહાત્મા ધર્મ પ્રાણીને સારા કુળમાં ઉત્પન્ન કરે છે, તેજ તેને “સારા ગુણેનું સ્થાન બનાવે છે, એનાં સર્વ અનુષ્ઠાનોને તે સફળ કરે છે, પ્રાપ્ત થયેલા ભેગેને તે વારંવાર ભોગવાવે છે અને બીજા અનેક પ્રકારના શુભ વિશેષોને તે પ્રાપ્ત કરાવે છે અર્થાત્ એ ધર્મના પ્રતા“પથી પ્રાણી એવા સુંદર સંયોગોમાં મૂકાય છે કે એ જે કાર્ય હાથમાં “લે તેમાં તે સફળ થાય છે અને તેને ઇચ્છિત સર્વ વસ્તુઓ પ્રાપ્ત ૧ એટલે આકાશને ઉત્પન્ન થવાનું કાંઈ કારણ નથી તેથી તે સદા દેજ. પછી એ નથી એમ કદિ થતું નથી અને સસલાનાં શીંગડાં થવાનું કારણ નથી તો તે કદિ થતાં જ નથી. તેમાં કદાપિ થઈ જાય છે એવું બની શકતું નથી. તે નિયમ પ્રમાણે એવા તફાવતો કાં તો હમેશાં હોવા જ જોઈએ અથવા કદિ પણ નજ હેવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy