SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] ધર્માચાર્યને સ્વભાવ અને પ્રાણુનું વલણ. ૧૨૫ ચારે પિતાના મનમાં આ પ્રાણું કર્યા કરે છે, પણ સાધુની નિ. તેને અંતરાત્મા મૂઢ થયેલ હોવાથી તે બાપડાને સ્પૃહતા. ખબર પડતી નથી કે એ ધર્માચાર્ય અત્યંત જ્ઞાનવાનું હોવાથી સંસારમાં રહેલા સર્વ પદાર્થો અને ભાવોને ફતરોની મુઠી જેવા સમજી રહ્યા છે એટલે મુઠી ભરીને ફેતરાં હોય તેની કોઈ કિંમત નથી અને તે પવનની કુંક લાગતાં ઉડી જાય તેવાં હોય છે તેમ સંસારના પદાર્થો અને ભારે કિંમત વગરના અને ઉડી જનારા (નાશ પામનાર) છે એમ તેઓ જ્ઞાનબળથી જાણે છે તે જૈન ધર્માચાર્યો માપ ન કરી શકાય તેવા સંતોષરૂપ અમૃતના પાનથી ધરાઈ ગયેલા હોય છે; તેઓ વિષયરૂપ ભયંકર ઝેરનું તીવ્ર દુઃખ આપનાર પરિણામ જાણે છે; તેઓ સર્વ વસ્તુ ઉપર સમભાવ રાખતા હેવાથી અને જાતે અત્યંત નિઃસ્પૃહી હોવાથી અને તેઓનું મન મક્ષ પ્રાપ્ત કરવાની બાબતમાં એક તાનથી લાગેલું હોવાથી તેઓ જ્યારે ઉપદેશ દેવાની બાબતમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓનાં મનમાં ઇંદ્ર કે ભિક્ષક વચ્ચે જરા પણ તફાવત હોતો નથી, મોટી ઋદ્ધિવાળા દેવો કે નિર્ધન પુરુષ વચ્ચે તેઓ જરા પણ આંતર રાખતા નથી, મેટા ચક્રવર્તામાં અને રંક પ્રાણુમાં કાંઈ અંતર દેખતા નથી, તેમજ ઉદાર પૈસાદાર તરફ કે કૃપણ માણસ તરફ આદર કે અનાદરની નજરથી જેતા નથી; તેઓના વિચારમાં મોટું ઐશ્વર્ય અને દરિદ્રતા સમાન છે, મેટા રતના ઢગલા કઠેર પથ્થરના ઢગલા જેવા છે, તાવેલ સેનાનો ઢગલો માટીનાં ઢેફાંઓ જે છે, રૂપાને સંચય ધૂળના ઢગલા જે છે, ધાન્યના કોઠારે ખાર (મીઠા)ના ઢગલા જેવા છે અને ચોપગાં જનાવરે અને બીજી ધાતુઓ વિગેરેમાં અને બીજી સાર વગરની વસ્તુઓમાં તેઓને કાંઈ તફાવત જણને નથી, તેમજ કામદેવની સ્ત્રી રતિના રૂપને પણ હસી કાઢે એવી સુંદર સ્ત્રીઓમાં અને લાકડાના જીર્ણ થાંભલામાં તેઓ કાંઈ ફેર લેતા નથી. આ પ્રમાણે હોવાથી પ્રાણુને ઉપદેશ દેવાને પ્રયત્ન કરવામાં પરોપકાર કરવાની તેઓની વિશુદ્ધ વૃત્તિ સિવાય બીજું કાંઈ પણ કારણ નથી. તેઓ પિતાને સ્વાર્થ સાધે છે તે પણ સ્વાધ્યાય (વાંચન, અભ્યાસ, મનન આદિ) ધ્યાન તપશ્ચર્યા વિગેરે કરીને સાધે છે અને તેથી સ્વાર્થની ખાતર પણ તેઓની ઉપદેશ આપવામાં પ્રવૃત્તિ થતી નથી. તેઓ આ પ્રાણી તરફથી કઈ પણ પ્રકારની આશા રાખતા જ નથી અને અન્ય કોઈ પણ પ્રકારના લાભની તેઓનાં મનમાં આશા હેવી તે તે તદ્દન અસંભવિતજ છે. આ સર્વ હકીક્ત બરાબર છે, પણ આ પ્રાણીની બુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy