SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા થા. ૧૨૨ [ પ્રસ્તાવ ૧ રોગથી તે વિદ્યુળ ચેતનાવાળા હાવાથી વિષય ધન શ્રી વિગેરે ઉપર ગાઢ મૂર્છાવડે તેની ચિત્તવૃત્તિ પરાભવ પામી જવાથી તે આ પ્રમાણે વિચાર કરે છે કે હું પહેલાં ધર્મ અધર્મના વિચારોની શોધખેાળ કરતા નહાતા ત્યારે કોઇ કોઇ વખત કદાચ આ સાધુ મહારાજ પાસે આવી ચઢતા તે તેઓ મારી વાત પણ પૂછતા નહાતા, મારે ભાવ પણ પૂછતા નહાતા અને કદાચ મને કાંઇક ધર્મપ્રાપ્તિ થશે એમ ધારીને કાંઇક એકલતા તાપણુ બેદરકારીથી એક બે વચન કોઇ વાર ખેલતા હતા; અત્યારે તા હવે મને ધર્મ અને અધર્મ શી વસ્તુ છે તે જાણવાની હોંશવાળા જોઇને તેઓ મને પાતાના આદેશમાં (હુકમમાં) રહેલ માને છે અને તેથી ભવિષ્યમાં તેમના ધર્મના અનુયાયી થઇશ એમ ધારીને હું તેને કાંઇ પૂછ્તા નથી તેાપણુ પાતાના ગળાને ગમે તેટલું ખેંચવું પડે અથવા તાળવાને શાષ પડે તેની પણ દરકાર કર્યા વગર ઊંચા સ્વરથી અને ઘણી સુંદર વચનરચનાવરે આખા લોકનું સ્વરૂપ પ્રકાશ કરનાર આ મહારાજા ધર્માચાર્ય મારી પાસે ધર્મના ગુણાનું વર્ણન કરે છે અને ત્યારપછી મારૂં એવી ખમતામાં મન દેારાયલું જાણીને મારી પાસે દાન દેવરાવે છે, શીલ ગ્રહણ કરાવે છે, તપસ્યા કરાવે છે અને ભાવનાઓનું ચિંતવન કરાવે છે. આવી રીતે આ ગુરુ મહારાજ એકદમ મારા તરફ આટલા બધા ભાવ બતાવે છે અને મને દાન આપવા વિગેરેની વાતે કહે છે તે આવા પ્રસંગ વગરના વિચિત્ર વચનઆડંબરનું કારણ શું હોવું જોઇએ ? અરે હા ! તે કારણ બરાબર સમજાય છે! મારે સુંદર સ્ત્રીએ છે, મારી પાસે બહુ ધનના સંગ્રહ છે, જૂદા જૂદા અનાજના મોટા કાઠારો છે અને ગાય, ભેંસ, ઘેાડા વિગેરે ચાર પગવાળાં જનાવરો તથા વાસણ કુસણા (ઘરવકરી ) મારી પાસે બહુ છે, તેથી તેઓ મને ખાસ તક લઈને અને ઉદ્દેશીને ઉપદેશ આપે છે તેના હેતુ એ હાવા જોઇએ કે મારી પાસે શું છે તે સર્વે તેઓ જાણી ગયા છે અને તે જાણપણાના લાભ લઇ તે મને જણાવે છે કે–તને દીક્ષા આપીએ, તારાં પાપા કાપી નાખીએ, તારાં કર્મબીજા નાશ કરીએ, તું અમારો વેશ ધારણ કર, ગુરુના ચરણુકમળની પૂજા કર, તારાં ધન, સ્ત્રી વિગેરે તારૂં સર્વસ્વ ગુરુચરણમાં સમર્પણ કર–આ તેઓના કહેવાના તાત્પર્યાર્થ જણાય છે. વળી તે વિચારે છે કે “અમારા કહેવા પ્રમાણે કરવાથી તું પિંડપાત કરીને એટલે શરીર છેડી દઈને શિવ થઇ જઇશ, તારૂં કલ્યાણ થઇ જશે અને તું પરમાત્મા સાથે એક રૂપ થઇ જઇશ.” ઉપદેશક પર વહેમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy