SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રસ્તાવ-કથાસાર. ગ્રંથકર્તાની પ્રસ્તાવના. આદિ મંગળ, (પૃ. ૧). હેય, કર્તવ્ય, ગ્લાધ્ય અને શ્રોતવ્યની વિચારણા (૩). શ્રોતવ્યમાં સર્વજ્ઞવચન (૪). કથાના ચાર પ્રકાર-ધર્મ, અર્થ, કામ અને સંકીર્ણ (૫). ચાર પ્રકારના શ્રોતાઓ (૬). સંકીર્ણ કથાની સાર્વજનિક આકર્ષક શક્તિ (૭). સંસ્કૃત ભાષા અને સર્વમનરંજન (૮). ગ્રંથ રચનાનું કથાશરીર (૮). અંતરંગ કથાશરીર (૯). આઠ પ્રસ્તાવની આંતર કથાનો ટૂંક સાર (–૧૧). સૂત્રમાં રૂપક (૧૧). બહિરંગ કથાશરીર (૧૨). આ કથાના અધિકારી (૧૩). મૃ. ૧ થી ૧૪ ઉપઘાત રૂપે દષ્ટાન્ત કથા. અષ્ટમલપર્યન્ત નામના નગરમાં નિપુણ્યક નામને એક ભીક્ષુક રહે છે, તેને શરીરે અનેક વ્યાધિઓ છે, શરીરે ફાટેલાં તૂટેલાં કપડાં છે, અને ભીખ માટે આખા નગરમાં ફરે છે તે વખતે તેફાની છોકરાએ તેને ત્રાસ આપે છે. એકંદરે એ ભીખારી સજજનને દયાનું પાત્ર બની રહ્યો છે. ઘેર ઘેર ભીખ માગવા છતાં એને હુકડાઓ મળતાં તે તરત જ ખાઈ જતો તેથી તૃપ્તિ થતી નહિ, ભૂખ ઉલટી વધારે લાગતી અને પેટમાં દુઃખાવો થતો હતો. આખા નગરમાં ફરતાં અને રખડતાં તેને ઘણો કાળ ચાલ્યો ગયો (૧૮). સાતમે માળ રાજભુવનમાં સુસ્થિત મહારાજ બેઠેલા છે તેના હુકમથી એ રખડતા ભીખારીને સ્વકર્મવિવર નામના દ્વારપાળે રાજમહેલમાં દાખલ કર્યો. રાજમંદિરમાં અનેક યોદ્ધાઓ, વૃદ્ધાઓ, નિયુHકે, ગાયક અને લલનાઓ હતાં. મંદિરમાં દાખલ થયા પછી નિપુણ્યકને થયેલ આહૂલાદ અને જિજ્ઞાસા. તે વખતે સુસ્થિત રાજાએ તેના ઉપર નજર કરી તે નજર ધર્મબંધકર નામના રસોડાના ઉપરીએ પડતી જોઈ અને તે પર તર્ક કરી તેણે ભીખારીને ભીક્ષા આપવા ઇચ્છા જણાવી એટલે તોફાની છોકરાઓ જે નિપુણ્યકની પછવાડે પડ્યા હતા તે નાસી ગયા. નિપુણ્યકને દાન આપવાને ધર્મબેધકરે હુકમ આપે (૨૩). ધર્મબોધકરની તયા નામની દીકરી હતી, તે મહાકલ્યાણ નામનું સુંદર ભેજન ભીખારી પાસે લઈ આવી, પણ ભીખારીને વિચાર થયો કે “પરાણે ભેજન આપવા આ કન્યા આવી છે તેથી તેની અંતર ભાવના જરૂર મલીન હશે, પિતાનું (મારું) ભીક્ષાનું અન્ન લઇ લેવા સારૂ એ તેની યુક્તિ હશે. આ પ્રમાણે તે તો વિચારમાં પડી ગયો તેથી તયા ભજન લેવાને આગ્રહ કરે છે તે તરફ તે જરા પણ ધ્યાન આપતા નથી (૨૪). આવો અઘટિત બનાવ જોઇ વિચાર કરી ધર્મબોધકરે જોરાવરીથી તેની આંખમાં વિમળલોક અંજન આંજી દીધું અને તરવપ્રીતિકર પાણી પાઈ દીધું. વ્યાધિઓ દૂર કરવાનો આ અદ્દભુત પ્રયોગ હતો. તે બન્ને વસ્તુથી ભીખારીને ઘણી શાંતિ થઈ, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy