SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] સંસારપ્રપંચ અને ફેવિકો . ૧૧૭ “આખો સંસારપ્રપંચ કર્મ નિત છે.” વિશુદ્ધ ધર્મના ઉપદેશક ધર્માચાર્યનાં આવાં વચનો સાંભળીને પૂર્વ કાળની અનાદિ કુવાસનાએને લીધે આ પ્રાણીને અત્યાર સુધી જે અનેક પ્રકારના વિકલ્પ થયા કરતા હોય છે. જેવા કે "આ જગત ઇંડામાંથી ઉત્પન્ન થયું હશે? કે તેને ઈશ્વરે બનાવ્યું હશે? કે બ્રહ્માએ તેને કર્યું હશે? અને થવા તે “પ્રકૃતિને વિકાર છે? અથવા તે દરેક ક્ષણે નાશ પામનારૂં છે? વળી પાંચ સ્કંધરૂપ આ જીવ “પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયે હશે? અથવા તો “જ્ઞાન માત્રજ છે કે આ સર્વ શૂન્ય છે? કર્મ એવી કઈ વસ્તુ હશે કે નહિજ હોય? કે મહેશ્વરને લીધે આ સર્વે જુદાં જુદાં રૂપ ધારણ કરે છે?-આવા આવા અનેક પ્રકારના વિકલ્પ તેના મનમાં થયાં કરતા હોય છે તે ભયંકર રણસંગ્રામમાં બળવાન શત્રુસમૂહને જોઈને જેમ બીકણ મનુષ્યો નાસી જાય છે તેમ (તે સર્વે કુવિકલ્પો) દૂર હટી જાય છે. એ વખતે આ જીવની ખાતરી થાય છે કે આ મહાત્મા ધર્માચાર્ય જે વાતો મને કહે છે તે સર્વ ખરેખરી છે અને સત્યાસત્યની પરીક્ષા કરવામાં તેઓ મારાથી વધારે શક્તિવાળા છે અને વસ્તુનું ખરું સ્વરૂપ તેઓજ જાણે છે. આ પ્રમાણે ૧ દરેક દર્શનમાં જીવ, જગત અને ઈશ્વર એ ત્રણે પ્રશ્નો ખાસ મુદ્દાના હોય છે. આ સંબંધમાં પર્શનસમુચ્ચય ગ્રંથ વાંચવો. સાધારણ સમજણ માટે જુઓ આનંદઘન ૫ઘરવાવલી પ્રથમ ભાગ પૃષ્ઠ ૩૮૭ થી ૪૧૦. ૨ ઇંડામાંથી જગતની ઉત્પત્તિ પુરાણમાન્યતા પ્રમાણે છે. એને સ્માર્ત મત કહેવામાં આવે છે. ૩ ઈશ્વરકૃત સૃષ્ટિનો વિચાર સેશ્વર સાંખ્ય અને જૈમિનીય દર્શનને છે. ૪ બ્રહ્માકૃત ઈશ્વરને વિચાર પુરાણમાન્યતા પ્રમાણે છે. દ્વતના સર્વ પ્રકારેને અહીં સમાવેશ થાય છે. ૫ આ જગત્ પ્રકૃતિને વિકાર છે એમ વૈશેષિક દર્શન માને છે. ૬ દરેક ક્ષણે નાશ પામવાની માન્યતા બૌધ દર્શનની છે. ૭ ૩૫, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કાર આ પાંચ રૂંધ છે. (જુઓ આ સર્વ હકીકત માટે આનંદઘન ૫ઘરાવલી પૃષ્ઠ ૩૯૧ ). ૮ પંચ ભૂતમાંથી ઉત્પન્ન થઈ તેમાં મળી જવાની માન્યતા બૌધ મતની છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પંચ ભૂત છે. ૯ જ્ઞાન માત્ર જગતની માન્યતા સૌતાંત્રિક બૌધ દરનની છે. ૧૦ શૂન્ય ભાવ બૌધને એક પ્રકાર છે. આ છેલ્લા ત્રણે અભિપ્રાય બૌધ મતના છે. ૧૧ આ ચાર્વાકનારિત મત છે. તેને લોકાયતીક પણ કહે છે. ૧૨ આ મતનું નામ ઐકય દર્શન કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy