SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠગંધ ] વર્તન અને કૃપાનાં કારણેા. ૧૧૩ છે. એવા દીન-રાંક ઉપર મહારાજાની દૃષ્ટિ પડી તે આગળ પાછળના વિચાર કરતાં કેમ બેસતું આવી શકે ? એવાના તરફે પરમાત્મા નજર કેમ કરે ?” ” વિશેષમાં તેને વિચાર થવા લાગ્યો કે અત્યંત કમનશીબ માણસાનાં ઘરમાં અમુલ્ય રત્રની વૃષ્ટિ થતી નથી, ત્યારે અહીં આ પ્રમાણે કેમ બન્યું હશે એમ તેને વિચાર કરતાં આપણે કથાપ્રસંગમાં જોયા, તેવી રીતે આ જીવના સંબંધમાં વિશુદ્ધ ધર્મ બતાવનાર આચાર્ય મહારાજના મનમાં વિચાર થાય છે તેની યોજના આ પ્રમાણે કરવી: પ્રથમ અવસ્થામાં વર્તતા આ જીવને ભારે કર્યો લાગેલાં હાવાથી તે સર્વ પ્રકારનાં હિંસાદિ પાપા કરતા હોય છે, સર્વ પ્રકારનાં અસભ્ય અને ખાટાં વચને ખેાલતા હાય છે, રૌદ્રધ્યાન આખા વખત કર્યાં કરતા હાય છે, તેજ જીવ એકાએક સારા નિમિત્તને પામીને સારા વર્તનવાળા, સત્ય અને પ્રિય ખેલનારો અને શાંત ચિત્તવાળા દેખાવા લાગે છે તે વખતે આગળ પાછળને લાંબા વિચાર કરનાર ચતુર પુરુષના મનમાં સાધારણ રીતે વિચાર થાય છે કે કોઇ પણ શુભ ધર્મને સાધી આપનારી આવી સુંદર મન વચન કાયાની પ્રવૃત્તિ ભગવાનની કૃપા વગર કોઇ પ્રાણીની થતી નથી અને અમે આ પ્રાણીની મન વચન કાયાની પ્રવૃત્તિ તે આ ભવમાંજ અતિ અધમ જોઇ છે, તેથી આ બાબતમાં આગળ પાછળના વિચાર કરતાં ઘણા વિરોધ દેખાઇ આવે છે ! વળી એવા પણ વિચાર તેમને થાય છે કે એવા પાપથી હાયલા પ્રાણી ઉપર ભગવાનની કૃપા કેવી રીતે થઇ કે હાઇ શકે? કારણ કે ભગવાનની કૃપા એક વખત થઇ તેા પછી તે પ્રાણીને મેાક્ષ અપાવીને થાડા વખતમાં તેને ત્રણ ભુવનનેા નાથ મનાવી દે છે; તેટલા માટે ભગવાનની કૃપા આ પ્રાણી ઉપર થઇ હોય અથવા ભગવાને તેના ઉપર નજર કરી હાય એ વાત તેા સંભવતી નથી. વળી એવા પણ વિચાર થાય છે કે આ પ્રાણીમાં હાલ જે મન વચન કાયાની થોડી થોડી સુંદર પ્રવૃત્તિ દેખાય છે તેનું બીજું કાંઇ કારણ ન હેાવાથી ભગવાનની તેના ઉપર સુંદર નજર પડી હોય એમ માનવાના નિશ્ચય પણ થઇ શકે છે. આવી રીતે સંદેહને દૂર કરવાનું એક કારણુ તા મળી જાય છે તેાપણ હજી “આ કેવી નવાઇ જેવી મામત છે?” એવા એવા વિચારે મનમાં આવ્યા કરે છે.’ Jain Education International આવી રીતે વિચાર કરતાં અને તેના સાર શોધતાં ધર્મમાધકરે નિશ્ચય કર્યો કે ઃ મહારાજ રાજરાજેંદ્ર શ્રીસુસ્થિત મહારાજની આ ભિખારી ઉપર નજર પડવાનાં બે કારણેા સંભવે છે, તેથી તે રંક ઉપર ઐશ્વર્યવાળી ભગવાનની દૃષ્ટિ પડી છે એમ નિર્ણય થઈ શકે છે દષ્ટિપાતનાં કારણેા. ૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy