SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] મહાજ્યસ્થિતિમાં વસ્તુતઃ રાંકપણું ૭૧ કતમાં તે કારણ વગર અકાળે લડાઇ કરવા તત્પર થઇ ગયા એમ કહ્યું હતું તેની ખરાખર આ હકીકત સમજવી. વળી આ જીવ વિચાર કરે છેઃ- આવી રીતે આખી પૃથ્વી પરના સર્વ રાજાઓને મેં જીતી લીધેલા હેાવાથી મારા ઉપર ચક્રવતીપણાના અભિષેક કરવામાં આવશે. ત્યારપછી સ્વર્ગ, મૃત્યુ અને પાતાળલોકમાં એવી કોઇ પણ વસ્તુ નહિ રહે કે જે મને પ્રાપ્ત ન થઇ હોય.’ રાજપુત્ર વિગેરે અવસ્થામાં વર્તતા આ જીવ આવી રીતે કારણ વગર નકામા હજારો સંકલ્પ વિકલ્પ કરી પેાતાની જાતને વારંવાર આકુળવ્યાકુળ કર્યાં કરે છે અને રૌદ્રધ્યાન કરે છે, તેને લઇને મહા આકરાં કર્મ અંધે છે અને તેને લઇને નારકીમાં પડે છે. આવી રીતે અનેક પ્રકારનાં દુઃખા અને માનસિક વેદનાઓ તેને થાય છે છતાં પૂર્વ ભવમાં પુણ્ય રહિત હાવાથી પેાતાના હૃદયના તાપ સિવાય તે બીજો કોઇ પણ અર્થ પ્રાપ્ત કરતા નથી, તેનું કાંઇ વળતું નથી. આટલા ઉપરથી સમજવાની હકીકત એ છે કે જ્યારે આ જીવ રાજાના પુત્ર જેવી સુંદર સ્થિતિમાં હોય છે કે જે વખતે હૃદયની વિશાળતાને લીધે ખરાબ વસ્તુઓ પ્રાપ્ત કરવાના તે તેને મનારથ પણ ઘણે ભાગે થતા નથી અને ઘણા માણસે તેની પાસે ધનની પ્રાર્થના કરતા હોવાથી જ્યારે તેનું મન ઘણું ઉદાર વિચારનું પેાતાની બુદ્ધિથીજ હોય છે તે વખતે પણ સાધુ પુરુષા–મહાત્માઓ કે જેઓએ શાંત રસરૂપ અમૃતનું પાન કરેલું હાવાથી તેના રસની કિંમત જેએ સમજે છે અને જેએ વિષય ભાગવવાનાં ભયંકર પરિણામે જાણી રહ્યા છે અને જેઓએ સિદ્ધ ( મેાક્ષ ) સ્ત્રીને પ્રાપ્ત કરવામાં પેાતાના અધ્યવસાયે બરાબર જોડી દીધા છે તેમને આ જીવ ભિખારી-દરિદ્રી-રાંક જેવા લાગે છે તેા પછી બીજી અવસ્થામાં જ્યારે આ પ્રાણી વર્તતા હાય ત્યારે તેઓ એને માટે શું ધારે? ( રાજપુત્રને સર્વ પ્રકારની સગવડો હોય છે, પાણી માગે ત્યાં દુધ હાજર થતું હાય છે, સેવકા સેવામાં હાજર હાય છે, ધનના લાલચુ લોકો બિરૂદાવળી બેાલતા હાય છે અને ખમા ખમા થતી હોય છે તેવા ઉત્તમ મનુષ્યજન્મને માટે તે ખરેખરા સંતપુરુષના અભિપ્રાય પૂછ્યો હાય, જે સતા સંસારનું ખરાખર અવલેાકન કરી શક્યા હાય તેના આશય જાણવાની દરકાર કરી હાય તે તેમના તરફથી તમને એકજ જવાબ મળશે કે રાજપુત્રની સ્થિતિ ચાસ ભિખારી જેવીજ છે. રાજપુત્ર જેવા ઉત્તમ જન્મ માટે તે સંસારદશામાં ભિખારીપણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy