SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. સરળ બનાવવાની હતી તે કેટલે દરજે સફળ થઈ છે તે વિચારવાનું કાર્ય હવે તો વાંચકોનું છે. આ ગ્રંથના કર્તા કયારે થયા, એમનું જીવનવૃત્ત કેવું હતું, એમનો આદર્શ કેટલો શુદ્ધ હતો, એમણે ગ્રંથકર્તા તરીકે કેટલું બુદ્ધિચાતુર્ય બતાવ્યું હતું, એમને અનુભવ કેટલો સર્વગ્રાહી હતી, એમનું જ્ઞાન કેટલા વિષયોમાં વ્યાપી રહેલું હતું અને એમનો જનસમાજનો અભ્યાસ, માનસશાસ્ત્રની ઊંડાઈએ ઉતારવાની શક્તિ અને ભાષા પરનો કાબુ કેટલા મજબૂત હતા તે ઉપર એક સવિસ્તર ઉપોદ્દઘાત ત્રીજા ભાગમાં આપવામાં આવશે. એમના સમયના સંબંધમાં ઘણો મતભેદ છે; પ્રે. જેકોબી સાથે આ વિષયમાં ઘણો પત્રવ્યવહાર થયો હતો તે આખો પત્રવ્યવહાર શ્રી જૈન કોન્ફરન્સ હેર૯ના ખાસ અંકમાં બહાર પાડવામાં આવ્યો છે ત્યાર પછી મને એ વિષય પર વધારે અજવાળું પાડે તેવા અનેક સાધનો મળ્યાં છે, તે પર સવિસ્તર વિવેચના ત્રીજા ભાગમાં થશે. ગ્રંથ સમજવા માટે તેની ઉપયુક્તતા તો ગણાય, પણ તે સિવાય પણ ગ્રંથ સમજવામાં અગવડ નહિ આવે અને હજુ ઉપોદઘાત લખાયેલ નથી, તેથી આ પ્રથમ વિભાગ માત્ર સાદી પ્રસ્તાવના સાથે જ બહાર પાડવામાં આવેલ છે. અહીં એટલું જણાવી દેવાની જરૂર છે કે આ ગ્રંથમાં બતાવી છે તેવી સરળ ભાષામાં માનસ શાસ્ત્રના ઊંડામાં ઊંડા ભાવો બતાવવાની અપૂર્વતા અન્યત્ર પ્રાપ્ત થવી મુશ્કેલ છે. આ અતિ મહત્વની બાબત પર ઉપોદ્દઘાતમાં વિવેચન કરવાનું છે તેથી અત્ર માત્ર તેનો નિર્દેશ કર્યો છે. શ્રી સિદ્ધર્ષિગણિને ઈરાદો ઉપમિતિ દ્વારા સંસારને સર્વ પ્રપંચ બતાવવાનો છે. એક વાર્તા કહી તેની અંદરના રહસ્ય તરીકે સંસારમાં મનોવિકારો, દોષો અને ઇન્દ્રિયો કેવી રીતે કામ કરે છે તે બરાબર બતાવી તે દ્વારા સંસારપરથી ચિત્તને ફેરવી એના યોગ્ય માર્ગે લઈ આવવાનો છે અને તે કાર્ય તેઓ બહ સફળ રીતે કરી શક્યા છે. વિષયને ખીલવવાની તેમની શક્તિ અદ્દભુત છે અને પોતાને કહેવાનો આશય તેઓ બહુ સુંદર અને સચોટ રીતે કહી શક્યા છે. મનોવિકારોનું જે માત્ર વર્ણન કરવામાં આવે તો વાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy