SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાને શાંતિથી કહ્યું : I am your father – હું તારો બાપ છું. પેલો યુરોપિયન ખુશ થઈ ગયો. એણે કહ્યું : Come in. પેલા યુવાનને પોતાની પાસે બેસાડતાં એણે કહ્યું : તમારા જેવા ગૌરવવાળા અને નિર્ભય મિત્રની મારે જરૂર હતી; કારણ કે બીકણ, નિર્માલ્ય અને ડરપોકની સાથે બેસવામાં પણ પાપ છે. કાયરની મૈત્રી નકામી, એથી સંસ્કાર ન આવે, સંયમ પણ ન આવે, અને પ્રતિષ્ઠા પણ ન મળે. સોબત ઉત્તમની જોઈએ. આપણાથી અધિક ગુણસંપન્ન માણસની સોબત કરીએ તો એના ગુણ આપણામાં આવે અને અધમની સોબત કરીએ તો આપણા ગુણ જાય અને એની અધમતા આપણામાં આવે. સડેલા પાન સાથે મૂકેલાં સારાં પાન પણ સડે છે, અને એ તાજા પાનને પણ ડાઘ લગાડે છે. આપણા આત્માની પણ એ જ દશા છે, વિષયવાસના અને વૃત્તિઓના સંગથી એ પોતાનું સ્વરૂપ, પોતાની શક્તિ અને પોતાનો પ્રકાશ ભૂલી ગયો છે. એક સિંહણનું બચ્યું હતું, એની મા એને જન્મ આપી તરત મરણ પામી. માવિહોણા આ સિંહબાળને એક ભરવાડ ઊંચકી લાવ્યો. અને પોતાનાં ઘેટાંની સાથે એને પણ વાડામાં પૂર્યું. દૂધ પર એ મોટું થવા લાગ્યું. ઘેટાં-બકરાં જંગલમાં ચરવા જાય, ત્યારે આ પણ એમની સાથે જાય. એ બધાની સાથે એવું તો હળી ગયું કે પોતાને પણ, તેઓમાંનું એક માને, અને બેં બેં કરે. ભરવાડ સિસકારા કરે ત્યારે ઘેટાં સાથે તે પણ ભરવાડ પાછળ દોડે. સિંહણનું પડખું સેવ્યું હોત, મુક્ત જંગલમાં ઊછર્યું હોત, અને સિંહણના દૂધને પામ્યું હોત તો એ ગર્જના કરી સ્વતંત્ર રીતે વનવિહાર કરી શકત, પણ આ તો ઘેટાં સાથે રમેલું. આમાં શૌર્ય કે શક્તિ કેમ પ્રગટે ? એક વાર સરિતાકિનારે આ ઘેટાં પાણી પી રહ્યાં હતાં, ત્યારે પર્વતની ગુફામાંથી કોઈ સિંહ બહાર આવ્યો. અને પર્વતની ટોચ પર આવી એણે ગર્જના કરી. ત્રાડ સાંભળી ઘેટાં ને ભરવાડ તો જીવ લઈ નાઠાં. આ સિંહબાળ પણ દોડ્યું; એણે દોડતાં દોડતાં પાછું વાળીને જોયું, ત્યાં બંનેની આંખો મળી. ટોચ પર રહેલા સિંહને થયું કે આ તો મારો જાતભાઈ છે. સિંહ ઘેટાંના ટોળામાં કેમ ? આ મારાથી કેમ ડરે છે ? એણે ગર્જના કરી કહ્યું : “વિચાર કર. દોડ નહિ. આપણે એક જ કુળના છીએ. તારે મારાથી ડરવાનું ના હોય. તું પણ મારી જેમ ગર્જના કરી શકે, ત્રાડ નાખી શકે. પૂછડું પછાડી શકે, અને મુક્ત રીતે આ જંગલમાં વિહરી શકે; જો તું તને ઓળખે તો !' પણ એમ કાંઈ એ માને ? વર્ષોથી ઘર કરીને બેઠેલી વાત એક ક્ષણમાં કાંઈ નીકળી જાય ? એ તો નાઠું અને ઘેટાંના ટોળા ભેગું થઈ ગયું. પણ પેલા જીવન-માંગલ્ય - ૬૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy